Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    જબરદસ્તી – ધમકીથી કઈ હાંસલ થશે નહી : China નો પણ અમેરિકાને સ્પષ્ટ જવાબ

    August 5, 2025

    Umang app પર હવે ફેશ ઓથોન્ટિકેશન દ્વારા એલોટમેન્ટ અને એકિટવેશન કરવામાં આવશે

    August 5, 2025

    Parliament માં ફરી ધમાલ : બંને ગૃહો મુલત્વી

    August 5, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • જબરદસ્તી – ધમકીથી કઈ હાંસલ થશે નહી : China નો પણ અમેરિકાને સ્પષ્ટ જવાબ
    • Umang app પર હવે ફેશ ઓથોન્ટિકેશન દ્વારા એલોટમેન્ટ અને એકિટવેશન કરવામાં આવશે
    • Parliament માં ફરી ધમાલ : બંને ગૃહો મુલત્વી
    • Priyanka દીકરી માલતીને લઈને ભારતમાં શૂટિંગ માટે આવી
    • Ananya ની સાઈફાઈ કોમેડીને છૂમંતર ટાઈટલ અપાયું
    • Love and War માં પ્રિયંકા ચોપરા આઈટમ સોંગ કરે તેવી ચર્ચા
    • જોનનું બહાનું : થિયેટરવાળા ડરી ગયા એટલે Tehran ઓટીટી પર
    • Jammu and Kashmir ના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, August 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Kalol માં શ્રી રામ હોસ્પિટલના તબીબની બેદરકારીથી બાળકીના મોત મુદ્દે હોબાળો
    ગુજરાત

    Kalol માં શ્રી રામ હોસ્પિટલના તબીબની બેદરકારીથી બાળકીના મોત મુદ્દે હોબાળો

    Vikram RavalBy Vikram RavalDecember 24, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Kalol,તા.24

      કલોલના વર્ધમાન નગરમાં આવેલા શ્રીરામ કાન નાક ગળાની હોસ્પિટલમાં છ વર્ષની બાળકીનું કાન નાક અને ગળાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને ઓપરેશન બાદ બાળકી બેભાન થઈ ગઈ હતી જેને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવી હતી. જ્યાં તેનો સારવાર દરમિયાન મોત થયું હતું. બાળકીનું મોત નીપજતા પરિવારજનો ઉપર દુઃખનો પહાડ તૂટી પડયો હતો અને તેઓએ કલોલના શ્રીરામ કાન નાક ગળાની હોસ્પિટલના ડોક્ટર ઉપર બેદરકારીના આક્ષેપો કર્યા હતા. પોલીસને ઘટનાની જાણ કરતાં પોલીસ દોડી આવી હતી.

    વિરમગામ રહેતા હેતલબેન તુષારભાઈ ગોવાણીની છ વર્ષની દીકરી ક્રીશ્વીને કાનમાંથી રસી આવતી હતી જેથી તેઓ તેમના પરિચિત ડોક્ટર મેહુલ પૂજારાની હોસ્પિટલ કે જે કલોલમાં આવેલી છે તેમના ત્યાં નિદાન અર્થે આવ્યા હતા. ત્યારે હોસ્પિટલના ડોક્ટર મેહુલ પૂજારાએ બાળકીને નાકમાં મસા તથા ગળામાં કાકડા અને કાનમાં તકલીફ હોવાનું જણાવી દવા આપી હતી અને એ દવાથી મટે નહીં તો ઓપરેશન કરવાનું જણાવ્યું હતું.

    દવાનો કોર્સ પૂરો થતાં તેઓ ફરીથી કલોલ હોસ્પિટલમાં બાળકીને બતાવવા માટે આવ્યા હતા ત્યારે હોસ્પિટલના તબીબે ઓપરેશન કરવું પડશે તેમ જણાવતા તેઓ બાળકીનું ઓપરેશન કરાવવા તૈયાર થયા હતા. ત્યારબાદ બાળકીને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી હતી જ્યાં બાળકીને એનેસ્થેસિયા આપવામાં  આવ્યો હતો અને તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.

    ઓપરેશન બાદ બાળકી  ભાનમાં આવતી ન હોવાથી એને એનેસ્થેસિયા આપનાર મહિલા ડોક્ટરે તેને ભાનમાં લાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેમજ બાળકીનું ઓક્સિજન લેવલ અને ધબકારા પણ ઓછા થઈ ગયા હતા બાળકી ભાનમાં નહીં આવતા પીડીયાટ્રીકને જાણ કરવામાં આવતા તેઓ એમ્બ્યુલન્સ સાથે હોસ્પિટલમાં આવ્યા હતા અને તેઓએ પણ બાળકીને  ભાનમાં લાવવા પ્રયત્ન કર્યો  હતો તેમ છતાં તેનામાં કોઈ ફેર પડયો ન હતો અને તેની હાલત ગંભીર થઈ ગઈ હતી જેથી તેને વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

    બાળકીને એમ્બ્યુલન્સમાં અમદાવાદ ખસેડતા હતા તે વખતે તેની માતાએ એમ્બ્યુલન્સમાં સાથે આવવાનું કહેતા તે લોકોએ ના પાડી દીધી હતી તેમજ બાળકીની માતાએ કહેલ હોસ્પિટલમાં નહીં લઈ જતા અન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તેને ચાર દિવસ ઉપર રાખવામાં આવી હતી અને તારીખ 17 ડિસેમ્બર 2024ના રોજ બાળકીનું હોસ્પિટલના બીછાને મોત નીપજ્યું હતું બાળકીના અકાળે મોતથી પરિવારજનો ઉપર દુઃખનો પહાડ તૂટી પડયો હતો.

    બાળકીની અંતિમ ક્રિયા કર્યા બાદ તેના પરિવારજનો કલોલ આવી ચડયા હતા અને તેઓએ ડોક્ટરને મળીને તેમની સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. બનાવને પગલે લોકોનું ટોળું હોસ્પિટલ પાસે એકત્ર થઈ ગયું હતું ત્યારે બાળકીના સગા દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દોડી આવી હતી અને મામલો પોલીસ સ્ટેશનને પહોંચ્યો હતો.

    પરિવારજનોએ બાળકીના મોત અંગે ડોક્ટરની ગંભીર બેદરકારીના આક્ષેપો કર્યા હતા તેઓએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં વેન્ટિલેટર કે ઓક્સિજનની સુવિધા ન હોવા છતાં તેણે ઓપરેશન કર્યું હતું તેના કારણે બાળકીને બચાવી શકાય ન હતી આમ તેઓએ ગંભીર આક્ષેપ કર્યા હતા. 

    Kalol
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: રૂખડીયાપરામાં નિવૃત વૃદ્ધ રેલવે કર્મીને ધક્કો મારી પછાડી હુમલો કરાયો

    August 5, 2025
    રાજકોટ

    પૂર્વ ધારાસભ્ય બાવકુ ઉંધાડે Khodaldham Trust-Kagvad ને 61 વીઘા જમીનનું દાન અર્પણ કર્યું

    August 5, 2025
    ગુજરાત

    Gandhinagar માં આંગણવાડી કાર્યકરોની રેલી-જાહેરસભા યોજાઈ

    August 5, 2025
    ગુજરાત

    IPO માર્કેટમાં ગુજરાતનો ડંકો : ત્રણ માસમાં 14 કંપનીના લિસ્ટીંગ

    August 5, 2025
    અમદાવાદ

    Mansukh Vasava નો લેટર-બોંબ : ભાજપના જ એક પછી એક નેતાઓ મેદાને

    August 5, 2025
    ગુજરાત

    હેલ્થના મુદ્દા ઉપર પ્રમોશન રોકી શકાય નહીં,તમામ લાભો સાથે બઢતી આપવા HCનો આદેશ

    August 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    જબરદસ્તી – ધમકીથી કઈ હાંસલ થશે નહી : China નો પણ અમેરિકાને સ્પષ્ટ જવાબ

    August 5, 2025

    Umang app પર હવે ફેશ ઓથોન્ટિકેશન દ્વારા એલોટમેન્ટ અને એકિટવેશન કરવામાં આવશે

    August 5, 2025

    Parliament માં ફરી ધમાલ : બંને ગૃહો મુલત્વી

    August 5, 2025

    Priyanka દીકરી માલતીને લઈને ભારતમાં શૂટિંગ માટે આવી

    August 5, 2025

    Ananya ની સાઈફાઈ કોમેડીને છૂમંતર ટાઈટલ અપાયું

    August 5, 2025

    Love and War માં પ્રિયંકા ચોપરા આઈટમ સોંગ કરે તેવી ચર્ચા

    August 5, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    જબરદસ્તી – ધમકીથી કઈ હાંસલ થશે નહી : China નો પણ અમેરિકાને સ્પષ્ટ જવાબ

    August 5, 2025

    Umang app પર હવે ફેશ ઓથોન્ટિકેશન દ્વારા એલોટમેન્ટ અને એકિટવેશન કરવામાં આવશે

    August 5, 2025

    Parliament માં ફરી ધમાલ : બંને ગૃહો મુલત્વી

    August 5, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.