Mithapur, તા.૨૬
દેવભૂમી દ્વારકા જીલ્લામાં વધુ એક વખત દબાણ દૂર કરવાની કાર્યવાહી થવાની સંભાવના છે. દેવભૂમી દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકામાં સેંકડો આસામીઓને નોટીસ ફટકારવામાં આવતા દોડધામ મચી ગઈ છે. દ્વારકા જીલ્લા માર્ગદર્શન હેઠળ કલ્યાણપુર તાલુકા મામલતદાર દ્વારા સેંકડો દબાણકારોને નોટીસ આપવામાં આવી છે અને જો નિયત સમય મર્યાદામાં સ્વેચ્છાએ દબાણ દુર નહીં કરવામાં આવે તો ડીમોલીશનની કામગીરી પણ કરવામાં આવનાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે કલ્યાણપુર મામલતદારે જેમ નોટીસ ફટકારી ત્યારે દ્વારકાના મામલતદાર પણ દ્વારકા તાલુકામાં નોટીસો આપવામાં આવશે કે કેમ? તેવા સવાલો ઉભા થયા છે.