Ayodhya,તા.7
રામમંદિરમાં પહેલી ઈંટ રાખનાર કામેશ્વર ચૌપાલનું દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે. તેમણે 2024માં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી હતી. તેઓ બિહાર વિધાન પરિષદના સભ્ય પણ રહ્યા હતા.
કામેશ્વર ચૌપાલના નિધનથી ભાજપમાં શોકની લહેર ફેલાઈ હતી. કામેશ્વર ચૌપાલને સંઘના પ્રથમ કાર સેવકનો દરજજો પણ મળ્યો હતો. તેઓ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટી પણ હતા.
કામેશ્વર ચૌપાલે 1989માં અયોધ્યામાં શ્રીરામ મંદિરની પહેલી ઈંટ રાખી હતી. ત્યારે દેશના જુદા જુદા ભાગોમાંથી આવેલા હજારો સાધુ-સંતો અને લાખો કાર સેવકો તેમાં લાગ્યા હતા.