Mumbai,તા.20
કંગના રણૌત ફરી પોતાનાં નિવેદન માટે વિવાદમાં સપડાઈ છે. કુલ્લુ મનાલીમાં પૂરપ્રકોપનાં ત્રણ સપ્તાહ બાદ તે પોતાના મતવિસ્તારમાં ગઈ હતી. ત્યારે પૂરપીડિતોને આશ્વાસન આપવાને બદલે તેણે પોતાનાં જ દુઃખણાં રોવાનું ચાલુ કરી દીધું હતુું. કંગનાએ મીડિયા સમક્ષ કહ્યું હતું કે તમે લોકો તમારી જ તકલીફોની વાત કરો છો પરંતુ મારી તકલીફ પણ સમજો. મારી રેસ્ટોરાંમાં હું મહિને ૧૫ લાખનો પગાર આપું છું પરંતુ મારે ૫૦ રુપિયાનો જ વકરો થયો છે. હું પણ સિંગલ વુમન છું. હું જાણે ઈંગ્લેન્ડની રાણી હોઉં તેવી રીતે મને સવાલો કરવાની જરુર નથી. કંગનાનો આ વિડીયો ભારે ટ્રોલ થયો હતો. અનેક લોકોએ લખ્યું હતું કે કંગના હજુ પણ પોતે જાણે સંસદસભ્ય પદનો એક ફિલ્મી રોલ જ કરી રહી હોય તેમ વર્તી રહી છે અને તેનામાં એક લોકપ્રતિનિધિ તરીકેની બિલકૂલ સંવેદના નથી.