Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    મનાઈ છતાં Jamjeer Falls પર રિલ્સ બનાવનાર મોડલ સામે ફરિયાદ દાખલ

    August 27, 2025

    આઉટસોર્સિંગથી ભરતી કરી સરકાર કર્મચારીઓનું શોષણ ના કરી શકેઃ Supreme Court

    August 27, 2025

    Bombay HC માં જજ માટે CJIના ભત્રીજાના નામની ભલામણ કરાઈ

    August 27, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • મનાઈ છતાં Jamjeer Falls પર રિલ્સ બનાવનાર મોડલ સામે ફરિયાદ દાખલ
    • આઉટસોર્સિંગથી ભરતી કરી સરકાર કર્મચારીઓનું શોષણ ના કરી શકેઃ Supreme Court
    • Bombay HC માં જજ માટે CJIના ભત્રીજાના નામની ભલામણ કરાઈ
    • America ને ચીન મેગ્નેટ નહીં આપે તો ૨૦૦% ટેરિફ લાગશે
    • USમાં પરચૂરણ વસ્તુઓને ટેરિફની રાહત શુક્રવારથી બંધ થશે
    • Donald Trump ને મગજની ગંભીર બીમારીના લક્ષણો જણાયા
    • અડધી રાતે Mumbai ના વિરારમાં ચાર માળની ઈમારત ધરાશાયી
    • Jammu and Kashmir માં વૈષ્ણોદેવી યાત્રા રૂટ પર ભૂસ્ખલનમાં ૩૦ લોકોના મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 27
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Kodinar: કારડીયા રાજપૂત સમાજ દ્વારા સમાજની વાડી ને નડતરરૂપ વડલો દૂર કરવા રેલી કાઢી આવેદનપત્ર પાઠવ્યું
    સૌરાષ્ટ્ર

    Kodinar: કારડીયા રાજપૂત સમાજ દ્વારા સમાજની વાડી ને નડતરરૂપ વડલો દૂર કરવા રેલી કાઢી આવેદનપત્ર પાઠવ્યું

    Vikram RavalBy Vikram RavalAugust 27, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    ગામતળનો રસ્તો અને નડતરરૂપ વડલો દૂર કરવા વારંવાર રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નહીં
    Kodinarતા.27
     કોડીનાર તાલુકાના મીતિયાજ ગામના શ્રી કારડીયા રાજપૂત સમાજ દ્વારા ગામતળમાં આવેલા રસ્તા પર થયેલું દબાણ અને નડતરરૂપ વિશાળ વડલાના ઝાડને દૂર કરવા માટે વારંવાર કરેલી રજૂઆતો છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી નહીં થતાં રોષે ભરાઈ સમાજના લોકોએ આ મામલે કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ, ગીર સોમનાથ તથા મામલતદાર અને તાલુકા મેજિસ્ટ્રેટ, કોડીનારને રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું.
    આવેદનપત્રમાં કારડીયા રાજપૂત સમાજ દ્વારા જણાવ્યા મુજબ, મીતિયાજ ગામે તેમની માલિકીની ગામતળ ની જમીન પાસે આવેલો રસ્તો વાંઝા શેરીને જોડતો આવે છે જે રસ્તા પર લખમણ ભગવાન રાઠોડ અને ગ્રામ પંચાયતના સભ્ય જાનુબેન જેઠાભાઈ રાઠોડ સહિત અનેક લોકો દ્વારા બાંધકામ કરીને દબાણ કરવામાં આવ્યું છે. આ દબાણને દૂર કરવા માટે અગાઉ પણ તત્કાલીન સરપંચ, વહીવટદાર અને તલાટી કમ મંત્રીને રજૂઆતો કરવામાં આવી હતી, જેના આધારે પંચ રોજકામ પણ થયું હતું અને નોટિસો પણ આપવામાં આવી હતી. જોકે, તેમ છતાં રસ્તો ખુલ્લો કરાવવામાં આવ્યો નથી.
    આ ઉપરાંત, સમાજની મિલકતની દીવાલને નુકસાન પહોંચાડી રહેલા એક વિશાળ વડલાના ઝાડને પણ દૂર કરવાની માંગણી કરવામાં આવી છે. આ અંગે તત્કાલીન વહીવટદાર અને તલાટી કમ મંત્રી દ્વારા ગ્રામસભામાં ઠરાવ કરીને વડલો કાપવા માટે મામલતદાર, કોડીનાર પાસે મંજૂરી માંગવામાં આવી હતી. મામલતદારે 4 જાન્યુઆરી, 2025ના રોજ આ મંજૂરી આપી હોવા છતાં, પંચાયત અધિનિયમની કલમ-105 મુજબ કાર્યવાહી કરવાની સત્તા હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.
    આ મામલે સમાજ દ્વારા મુખ્યમંત્રીના ઓનલાઇન ફરિયાદ નિવારણ (સ્વાગત) કાર્યક્રમ હેઠળ પણ અનેકવાર અરજીઓ કરવામાં આવી છે. એપ્રિલ 2025 અને મે 2025માં થયેલા સ્વાગત કાર્યક્રમોમાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. જુલાઈ 2025માં યોજાયેલા કાર્યક્રમમાં કલેક્ટર અને મામલતદારના આદેશ બાદ વડલો કાપવાની ફરીથી મંજૂરી આપવામાં આવી હતી અને પોલીસ બંદોબસ્ત માટે પણ વિનંતી કરવામાં આવી હતી.જોકે, વીવીઆઈપી બંદોબસ્તને કારણે પોલીસ ફાળવી શકાઈ ન હોવાથી કાર્યવાહી થઈ શકી નહોતી. ત્યારબાદ 23 જુલાઈ, 2025ના રોજ યોજાયેલા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પોલીસ વિભાગ અને તાલુકા વિકાસ અધિકારીને સંકલન સાધીને 7 દિવસમાં દબાણ દૂર કરવા સૂચના આપવામાં આવી હતી. આ જ સૂચના 24 જુલાઈ, 2025ના જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પણ કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં આપવામાં આવી હતી.
    આટલી બધી સૂચનાઓ અને આદેશો હોવા છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. ત્યારે કારડીયા રાજપુત સમાજે માંગ કરી છે કે સમાજની વંડીને નુકસાન અટકે અને અન્ય સમાજ વચ્ચે કોઈ વૈમનસ્ય ન સર્જાય અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી માંગ સાથે કોડીનાર છારા ઝાંપા નાલંદા વિદ્યાલય થી ખાતેથી વડલો હટાવો વાડી બચાવો ના નારા સાથે રેલી યોજી કોડીનાર મામલતદાર ઓફિસ ખાતે પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું.
    Kodinar Kodinar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    મનાઈ છતાં Jamjeer Falls પર રિલ્સ બનાવનાર મોડલ સામે ફરિયાદ દાખલ

    August 27, 2025
    સૌરાષ્ટ્ર

    Kodinar ના પૌરાણિક શ્રી બાપેશ્વર મહાદેવ મંદિરના તાળા તૂટ્યા, સીસીટીવી ફૂટેજમાં ચોરી કેદ

    August 27, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh: ઓગસ્ટના રોજ રહેઠાણનું પ્રમાણપત્ર મેળવવા માટે તાલુકા જનસેવા કેન્દ્ર શરૂ રહેશે

    August 27, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh: NDPS એકટ હેઠળ કબ્જે કરેલ રૂ. ૧.૪૬ કરોડના મુદામાલનો નાશ કરતી Junagadh SOG

    August 27, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh: ગણપતિ વિસર્જન માટે પવિત્ર કુંડ અને જળાશયોના જલ સભર અસ્થાયી વિસર્જન કુંડ બનાવાશે

    August 27, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh: મનપા દ્વારા સમય મર્યાદામાં વ્યવસાય વેરો જમા કરાવવા સુચના બાકી દંડ અને વ્યાજ વસુલાશે

    August 27, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    મનાઈ છતાં Jamjeer Falls પર રિલ્સ બનાવનાર મોડલ સામે ફરિયાદ દાખલ

    August 27, 2025

    આઉટસોર્સિંગથી ભરતી કરી સરકાર કર્મચારીઓનું શોષણ ના કરી શકેઃ Supreme Court

    August 27, 2025

    Bombay HC માં જજ માટે CJIના ભત્રીજાના નામની ભલામણ કરાઈ

    August 27, 2025

    America ને ચીન મેગ્નેટ નહીં આપે તો ૨૦૦% ટેરિફ લાગશે

    August 27, 2025

    USમાં પરચૂરણ વસ્તુઓને ટેરિફની રાહત શુક્રવારથી બંધ થશે

    August 27, 2025

    Donald Trump ને મગજની ગંભીર બીમારીના લક્ષણો જણાયા

    August 27, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    મનાઈ છતાં Jamjeer Falls પર રિલ્સ બનાવનાર મોડલ સામે ફરિયાદ દાખલ

    August 27, 2025

    આઉટસોર્સિંગથી ભરતી કરી સરકાર કર્મચારીઓનું શોષણ ના કરી શકેઃ Supreme Court

    August 27, 2025

    Bombay HC માં જજ માટે CJIના ભત્રીજાના નામની ભલામણ કરાઈ

    August 27, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.