Keshod,તા.29
કેશોદમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે માતૃ સંમેલનનું આયોજન થયું હતું.પ્રમુખસ્વામી મહરાજ હંમેશા કહેતા સંતાનના ઘડતરમાં માતાની ભૂમિકા ખૂબ જ મહત્વની છે.ગર્ભવતી માતાના આહાર, વિહાર અને વિચારમાં સંયમ હોય તો જ શ્રેષ્ઠ સંતાન જન્મે છે.
એક માતા તરીકે સંતાનની દરેક જરૂરીયાત પુરી કરીએ ,મનપસંદ વસ્તુઓ પુરી પાડીયે છીયે પરંતુ આ મમતા ક્યાંક મહાવિનાશ તો નથી નોતરી રહી ને?આપણા માતૃત્વ માં ક્યાંય ખોટ તો નથી રહી જતી ને?આ તમામ પ્રશ્નોનું સમાધાન વિવિધ પ્રવચનો,વીડિયો ,પીપીટી ના માધ્યમ દ્વારા માતૃત્વ ને સાર્થક તેમજ આદર્શ માતા કઈ રીતે બનવું તે માટે બાલિકા પ્રવૃત્તિ મધ્યસ્થ કાર્યાલય દ્વારા આયોજિત આ સંમેલનમાં કેશોદ બાલિકા મંડળના તમામ કાર્યકરો દ્વારા સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું હતું. આ તકે મહિલા મંડળના કાર્યકરો તેમજ મહિલા હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.