સ્થાનિકોમાં ભયનો માહોલ, સદનસીબે જાનહાની ટળી
Rajkot,તા.17
જિલ્લા પંચાયત કચેરીની એક દિવાલ તૂટી પડતા તદ્દન પાછળ આવેલ ખાટકીવાસનું એક જર્જરિત મકાન પણ ધરાસાયી થઈ ગયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
પ્રાપ્ત વિગત અનુસાર જિલ્લા પંચાયત કચેરીની એક દિવાલ આજે બપોરે 12 વાગ્યાની આસપાસ અચાનક તૂટી પડી હતી. જેના લીધે તદ્દન પાછળની ભાગે આવેલ ખાટકીવાસનું એક મકાન પણ ધરાસાઈ થઇ ગયું હતું. રહેણાંક મકાન જમીનદોસ્ત થતાં સ્થાનિકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો. જો કે સદનસીબે કોઈ જાનહાનિ નહીં સર્જાતા મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી.