Girsomnath,તા.૨૪
ટિકટોક સ્ટાર કિર્તી પટેલ અને યુટ્યુબર રોયલ રાજા ઉર્ફે દિનેશ સોલંકીની માથાકૂટ હવે જગજાહેર થઈ છે. યુટ્યુબર રોયલ રાજા ઉર્ફે દિનેશ સોલંકી પર મોડી રાતે હુમલો થયો હતો. જે બાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. દિનેશ સોલંકીએ માથાભેર કિર્તી પટેલ પર અપહરણ, લૂંટ અને નિર્વસ્ત્ર કરીને માર મારવાનો આરોપ લગાવ્યો હતો. આ સાથે કિર્તી પટેલને દિનેશ સોલંકીના વાળ અને મૂંછો પણ બળજબરીપૂર્વક કાપી નંખાઈ હતી. આ કેસમાં હવે ૮થી ૧૦ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. આ સાથે બે લોકોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરાઈ છે.
ગીરસોમનાથના યુટ્યુબર ’રોયલ રાજા’ ઉર્ફે દિનેશ સોલંકીએ આ અંગે જણાવ્યું છે કે, યુટ્યુબર ખજૂરભાઈ અને કિર્તી પટેલના વિવાદના કારણે તેના પર હુમલો કરવામાં આવ્યો છે. શનિવારે મોડી રાત્રે ઘંટિયા ગામના ફાટક પાસે ત્રણ કારમાં આવેલા ૧૦ જેટલા શખ્સોએ તેનું અપહરણ કર્યું હતું. જે બાદ આરોપીઓ તેને એક ગોળના રાબડા પર લઈ ગયા હતા. અહીં તેને નિર્વસ્ત્ર કરીને ઊંધો સુવડાવી ઢોર માર માર્યો હતો.
આ હુમલા દરમિયાન આરોપીઓએ કિર્તી પટેલને વીડિયો કોલ પણ કર્યો હતો. આ વીડિયો કોલમાં કિર્તીએ કહ્યું હતું કે, “રોયલ રાજાની મૂંછ અને વાળ સારાં નથી લાગતાં, કાપી નાંખો.” આ સાંભળીને હુમલાખોરોએ મારી મૂંછ અને વાળ કાપી નાખ્યાં હતા.
, મિત કાનાભાઈ રામ, સિદ્ધરાજ ચુડાસમા સહિત આઠ લોકો સામે અપહરણ, માર અને રાયોટિંગનો ગુનો નોંધ્યો છે. પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે અને અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે. હાલમાં પીડિત દિનેશને વેરાવળ સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
લોકોમાં ચાલી રહેલી ચર્ચા અને યુટ્યુબમાં આ બંનેના વીડિયોમાં સામે આવ્યું છે કે, ’રોયલ રાજા’એ ખજૂરભાઈની તરફેણમાં પોસ્ટ મૂકી હતી. જે બાદ વિવાદ થતા કિર્તી પટેલ સાથે સોશિયલ મીડિયામાં વોર જામી હતી. હુમલાનો ભોગ બનનાર દિનેશ સોલંકી અને આરોપી મિત કાનાભાઈ રામ વચ્ચે આ પહેલા પણ પૈસાની લેતીદેતી મામલે ઝઘડો થયો હતો. જેના કારણે પણ આ અપહરણ થયું હોવાની વાત વહેતી થઈ છે. હાલ પોલીસ આ અંગે પણ તપાસ કરી રહી છે.