Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Bhavnagar: શિવાજી સર્કલ નજીકથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

    June 16, 2025

    Bhavnagar: સાસરે જઈ પતિએ પત્ની અને ભાભીને છરીના ઘા ઝીંકી દીધા

    June 16, 2025

    Surendranagar: થાનના વિરાટનગરના મકાન પર વીજળી પડતા આગ ભભૂકી

    June 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Bhavnagar: શિવાજી સર્કલ નજીકથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
    • Bhavnagar: સાસરે જઈ પતિએ પત્ની અને ભાભીને છરીના ઘા ઝીંકી દીધા
    • Surendranagar: થાનના વિરાટનગરના મકાન પર વીજળી પડતા આગ ભભૂકી
    • Surendranagar: થાનના સરોડી ગામની સીમમાં વીજળી પડતા યુવકનું મોત
    • Nadiad માં વીજ કરન્ટથી યુવકનું મોત, 3 શ્વાન પણ ભોગ બન્યા
    • Surendranagar: દસાડામાં 3 અને થાનમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો
    • Surendranagar: માંડલ પંથકમાં મોડી રાત્રિના અઢી ઈંચ વરસાદ ખાબક્યો
    • Dhrangadhra ના કચ્છના નાના રણમાં ઘુડખર અભયારણ્ય 4 મહિના માટે બંધ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»“Kisan Suryodaya Yojana” હેઠળ ૯૬ ટકા ગામના ખેડૂતોને દિવસે વીજળી
    ગુજરાત

    “Kisan Suryodaya Yojana” હેઠળ ૯૬ ટકા ગામના ખેડૂતોને દિવસે વીજળી

    Vikram RavalBy Vikram RavalDecember 24, 2024Updated:December 24, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ૧૬ હજારથી વધુ ગામના ૧૮.૯૫ લાખથી વધુ ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી મળશે,ઊર્જામંત્રી

    Gandhinagar,તા.૨૪

    રાજ્ય સરકાર દ્વારા લાખો ખેડૂતોના હિતમાં દિવસે વિજળી આપવાના મહત્વના નિર્ણયનો રાજ્યના ૯૬ ટકા ગામોમાં અમલ કરીને ખેડૂતોને રાત્રે ઉજાગરામાંથી મુક્તિ આપવામાં આવી છે. ગુજરાતના કુલ ૧૮,૨૨૫ ગામ પૈકી ૧૭,૧૯૩ ગામમાં ૨૦,૫૧,૧૪૫ જેટલા ખેતીવાડી વીજ જોડાણો કરવામાં આવ્યા છે. જે પૈકી ૧૬,૫૬૧ ગામના ૧૮,૯૫,૭૪૪ જેટલા ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી આપવાનું શરુ કરી દેવામાં આવ્યું છે, તેમ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધતા ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું.

     ઊર્જા મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, “કિસાન સૂર્યોદય યોજના” અંતર્ગત ૯૬ ટકા ગામના ખેડૂતોને દિવસે વીજળી મળી રહી છે. જેમાં બાકી રહેતા ૪ ટકા ગામો પૈકી મોટા ભાગના ગામો દેવભૂમિ દ્વારકા, કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના છે. આ બાકી રહેલા ૬૩૨ જેટલા ગામના ૧,૫૫,૪૦૧ જેટલા ખેડૂતોને એટલે કે ૪ ટકા ગામના ખેડૂતોને પણ સત્વરે દિવસે વીજળી આપી શકાય તે માટેની કામગીરી પ્રગતિમાં છે અને આ કામગીરી સત્વરે પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

    ઊર્જામંત્રી દેસાઈએ જણાવ્યું કે, દિવસે વીજળી મેળવી રહેલા ૧૬,૫૬૧ ગામના ખેડૂતો પૈકી ૧૧,૯૨૭ ગામના ખેડૂતોને સિંગલ શિફ્ટમાં સવારે ૮ થી સાંજના ૪ અને સવારે ૯ થી સાંજના ૫ વાગ્યાના સમય દરમિયાન દિવસે વીજળી આપવામાં આવે છે તથા ૪,૬૩૪ ગામના ખેડૂતોને બે શિફ્ટમાં એટલે કે સવારે ૫ થી બપોરના ૧ અને બપોરના ૧ થી સાંજે ૯ વાગ્યા સુધી દિવસે વીજળી આપવામાં આવી રહી છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

    ઊર્જા મંત્રીએ કહ્યું હતું કે, સુશાસનના ભાગ રૂપે આજે ગાંધીનગર જિલ્લામાં નાનાચીલોડા અને સરગાસણ, બનાસકાંઠાના થરાદ, અમદાવાદના ઘુમા અને બાકરોલ તેમજ ખેડા જિલ્લામાં પીપલગ ખાતે એમ કુલ ૬ નવી પેટા વિભાગીય કચેરીઓ મંજૂર કરવામાં આવી છે. જેમાં અંદાજે ૨૫૧ જેટલા અધિકારી – કર્મચારીઓનું મહેકમ પણ મંજૂર કરવામાં આવ્યું છે. વધુમાં, છેલ્લા ત્રણ વર્ષમાં ૩૦ નવી પેટા વિભાગીય અને ૩ વિભાગીય કચેરીઓ મંજૂર કરીને રાજ્ય સરકારે સતત ખેડૂતોના હિતની ચિંતા કરી છે. છેલ્લા દાયકામાં ખેડૂતોને ૧૦ લાખ જેટલા નવા ખેતીવાડી વીજ જોડાણો આપવામાં આવ્યા છે, એટલે કે વર્ષે સરેરાશ ૧ લાખ જેટલા નવા ખેતીવાડી વીજ જોડાણો આપવામાં આવ્યા છે. હાલમાં નવીન ખેતીવાડી વીજ જોડાણ આપવામાં કોઈ પણ જાતનો વાંધો કે વિરોધ ન આવે તો ૩-૪ મહિનામાં વીજ જોડાણ આપી દેવામાં આવે છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

    ઊર્જા મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતનો સરેરાશ માથાદીઠ વીજવપરાશ ૨,૨૩૮ યુનિટ છે જે દેશની સરેરાશ માથાદીઠ વીજવપરાશ ૧,૨૫૫ કરતાં લગભગ બમણા જેટલો છે, જે રાજ્યના વિકાસને પ્રતિબિંબિત કરે છે. “પીએમ સૂર્યઘર મુફ્ત બીજલી યોજના” હેઠળ દેશના ૧ કરોડના લક્ષ્યાંક સામે ગુજરાતમાં ૨ લાખ ૪૨ હજારથી વધુ વીજ ગ્રાહકોના મકાન પર ૯૦૦ મેગા વોટથી વધુ  ક્ષમતાની સોલર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરીને ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે.

    GADHINAGAR
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Nadiad માં વીજ કરન્ટથી યુવકનું મોત, 3 શ્વાન પણ ભોગ બન્યા

    June 16, 2025
    રાજકોટ

    અલવિદા વિજયભાઈ,Rajkot માં આંસુનો દરીયો, રાજકીય સન્માન સાથે અંતિમવિધિ

    June 16, 2025
    રાજકોટ

    અમિત શાહ, CM,રાજ્યપાલ, જે.પી.નડ્ડા, પાટીલ બપોરે Rajkot પહોંચશે : બે કલાકનું રોકાણ

    June 16, 2025
    ગુજરાત

    શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪નું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર

    June 13, 2025
    રાજકોટ

    Rajkot માં આજે ૬૦૦થી વધુ સ્કૂલો બંધ રહેશે

    June 13, 2025
    અમદાવાદ

    હું જમીને કેન્ટિનમાંથી નીકળ્યો અને પ્લેન ક્રેશ થયું

    June 13, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Bhavnagar: શિવાજી સર્કલ નજીકથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

    June 16, 2025

    Bhavnagar: સાસરે જઈ પતિએ પત્ની અને ભાભીને છરીના ઘા ઝીંકી દીધા

    June 16, 2025

    Surendranagar: થાનના વિરાટનગરના મકાન પર વીજળી પડતા આગ ભભૂકી

    June 16, 2025

    Surendranagar: થાનના સરોડી ગામની સીમમાં વીજળી પડતા યુવકનું મોત

    June 16, 2025

    Nadiad માં વીજ કરન્ટથી યુવકનું મોત, 3 શ્વાન પણ ભોગ બન્યા

    June 16, 2025

    Surendranagar: દસાડામાં 3 અને થાનમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો

    June 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Bhavnagar: શિવાજી સર્કલ નજીકથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

    June 16, 2025

    Bhavnagar: સાસરે જઈ પતિએ પત્ની અને ભાભીને છરીના ઘા ઝીંકી દીધા

    June 16, 2025

    Surendranagar: થાનના વિરાટનગરના મકાન પર વીજળી પડતા આગ ભભૂકી

    June 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.