Bangaloreતા.૭
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પણ બેંગ્લોરમાં ભાગદોડ કેસમાં ફસાયેલા હોય તેવું લાગે છે. સામાજિક કાર્યકર્તા એચ.એમ. વેંકટેશે કોહલી સામે ફરિયાદ નોંધાવી છે, અકસ્માત માટે તેને જવાબદાર ઠેરવ્યો છે. આરસીબીએ મંગળવારે પંજાબ કિંગ્સને હરાવીને આઇપીએલ ૨૦૨૫નો ખિતાબ જીત્યો. આ ફ્રેન્ચાઇઝનું આ પહેલું આઇપીએલ ટાઇટલ હતું, જેના પછી બેંગ્લોરમાં ઉજવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે સામાજિક કાર્યકર્તા વેંકટેશની ફરિયાદ પર હાલમાં કોહલી વિરુદ્ધ કોઈ એફઆઇઆર નોંધાયેલ નથી. વેંકટેશ આરસીબીના ટાઇટલ જીત દરમિયાન થયેલી ભાગદોડ માટે કોહલીને જવાબદાર ઠેરવ્યા છે. બુધવારે બેંગ્લોરમાંં આરસીબીના વિજયની ઉજવણી કરવામાં આવી હતી. આ માટે, ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ મોટી ભીડને કારણે સ્ટેડિયમની બહાર ભાગદોડ મચી ગઈ હતી અને ૧૧ લોકો મૃત્યુ પામ્યા હતા અને ૫૦ થી વધુ લોકો ઘાયલ થયા હતા.
અગાઉ, વેણુ નામના પીડિતે આરસીબી અને કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન વિરુદ્ધ ક્યુબન પાર્ક પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાવી હતી અને તેમને ભાગદોડ માટે જવાબદાર ઠેરવ્યા હતા. અગાઉ, કર્ણાટક પોલીસે ગુરુવારે આરસીબી, ઇવેન્ટ મેનેજમેન્ટ ફર્મ ડ્ઢદ્ગછ એન્ટરટેઈનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ અને કેએસસીએ વિરુદ્ધ એફઆઇઆર નોંધી હતી. જે બાદ કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશને હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો અને ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભાગદોડ કેસમાં નોંધાયેલી એફઆઇઆર રદ કરવા કોર્ટને વિનંતી કરી હતી. કર્ણાટક હાઈકોર્ટ તરફથી કેએસસીએને મોટી રાહત મળી હતી. આ મામલાની સુનાવણી કરતા કોર્ટે રાજ્ય ક્રિકેટ એસોસિએશનના અધિકારીઓ સામે દંડાત્મક કાર્યવાહી પર રોક લગાવી દીધી હતી.
આરસીબી ફ્રેન્ચાઇઝીએ આ ઐતિહાસિક જીતની ઉજવણી ઘરઆંગણાના ચાહકો સાથે કરવાનો નિર્ણય લીધો હતો. આઇપીએલ ૨૦૨૫ની ચેમ્પિયન આરસીબી ટીમ બુધવારે અમદાવાદથી બેંગ્લોર પહોંચી હતી. બેંગ્લોર પહોંચતા ચેમ્પિયન ખેલાડીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બેંગ્લોર એરપોર્ટથી ટીમ હોટલ અને કર્ણાટક વિધાન સૌધાની બહાર ચાહકોની ભારે ભીડ હતી. કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે બેંગ્લોર એરપોર્ટ પર આઇપીએલ વિજેતા ટીમ ઇઝ્રમ્નું સ્વાગત કર્યું હતું. વિધાન સૌધા ખાતે ઇઝ્રમ્ ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને રાજ્યપાલ થાવર ચંદ ગેહલોત પણ હાજર હતા. ત્યારબાદ આરસીબી ટીમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ગઈ હતી, પરંતુ કાર્યક્રમ પહેલા ભાગદોડ મચી ગઈ હતી. શું કેએસસીએએ પરવાનગી માંગી હતી?
બેંગ્લોરમાં તાજેતરમાં થયેલી ભાગદોડમાં નવી માહિતી સામે આવી છે. કેએસસીએએ આરસીબીની આઇપીએલ ટ્રોફી ઉજવણી માટે વિધાન સૌધા ખાતે પરવાનગી માંગી હતી. રાજ્ય સરકારને મોકલવામાં આવેલા પત્ર દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. કેએસસીએ દ્વારા ૩ જૂને રાજ્ય સરકારને લખાયેલા પત્રમાં દર્શાવવામાં આવ્યું છે કે રાજ્ય ક્રિકેટ એસોસિએશને ડીએનએ એન્ટરટેઈનમેન્ટ નેટવર્ક્સને વિધાન સૌધા ખાતે ઉજવણી યોજવા માટે પરવાનગી માંગી હતી. કેએસસીએએ જણાવ્યું હતું કે સંબંધિત કંપની આ કાર્યક્રમ માટે જરૂરી વ્યવસ્થા કરશે.