Vadodara,તા.02
વડોદરા મકરપુરા જીઆઇડીસીની કંપનીમાં શ્રમજીવીનું મોત નીપજયું હતું. તેથી પરિવારજનોએ કંપની ગેટ પર હોબાળો મચાવ્યો હતો.
મળતી વિગત મુજબ મકરપુરા જીઆઇડીસીની એક કંપનીમાં શ્રમજીવી સવારે કામ પર ગયો હતો ત્યારે અચાનક તેનું મોત નીપજયું હતું. તેની જાણ પરિવારજનો થતા કંપની ગેટ પર પહોંચ્યા હતા અને કારણ જણાવો નહીં તો મૃતદેહ નહિ ઉઠાવીએ કહી હોબાળો મચાવ્યો હતો. આ બનાવના પગલે માંજલપુર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. જોકે અફરાતફરીના કારણે મકરપુરા પોલીસનો સંપર્ક કરતા સંપર્ક થઈ શક્યો ન હતો.