Mithapur, તા.23
રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ દ્વારકા નગરી મામલે ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખેલો છે અને તેમાં જણાવ્યા મુજબ દ્વારકાધીશજીના મંદિરની એક કિ.મી. વિસ્તારમાં બાંધકામ ન કરવાની માગણી કરી છે. સ્થાનિક તંત્રએ મંદિરની ગરિમા જળવાય તે રીતે કામ કરવું જોઈએ.
આ ઉપરાંત તેઓએ રજૂઆતમાં જણાવ્યા મુજબ રેગ્યુલર તપાસણી તંત્રએ કરતા રહેવું જોઈએ. બીયુ સર્ટી મેળવ્યા બાદ જ બિલ્ડીંગનો ઉપયોગ કરવા દેવો જોઈએ. પાછળથી બિલ્ડીંગમાં કોઈ જ ફેરફાર થવો જોઈએ નહીં. ગેરકાયદે બાંધકા સત્વરે દૂર કરવા જોઈએ તેવું જણાવેલ છે.
અત્રે યાદ અપાવીએ કે દ્વારકામાં ગેરકાયદે દબાણો તરફ આંખ મીંચામણા કરનાર દ્વારકા નગરપાલિકા આ અંગે ખૂબ વગોવાયેલી છે ત્યારે હવે રાજ્યસભાના સાંસદની રજૂઆત કેટલી અસર કરશે તે તો સમય જ બતાવશે.