Jamnagarતા 19
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના નો ભોગ બનેલા જામનગરના દંપતી શૈલેષભાઈ પરમાર અને નેહલબેન પરમાર (બક્ષી), કે જેઓ બન્ને દિવંગત ની આજે શૈલેષભાઈ પરમારના નિવાસ્થાનેથી અંતિમયાત્રા નીકળી હતી.
આ વેળાએ જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ પણ જોડાયા હતા, તેઓએ બંને મૃતકોને પુષ્પાંજલિ અર્પિત કરી હતી, અને પરિવારજનોને સાંત્વના આપી હતી, આ વેળાએ ભારે કરુણ દ્રશ્ય સર્જાયા હતા.
જામનગર શહેર ભાજપના અધ્યક્ષ બીનાભાઈ કોઠારી, શાસક પક્ષના નેતા આશિષ જોશી, કોર્પોરેટર કિશનભાઇ માડમ અને સરોજબેન વિરાણી સહિતના અગ્રણીઓ પણ જોડાયા હતા.