New Delhi,તા.07
ઓપરેશન સિંદુરના પગલે હવે પાકિસ્તાન કોઈ અડપલું કરવા પ્રયાસ કરે તેવી શકયતાને ધ્યાનમાં લઈને આજે ભારતીય સેનાની ત્રણેય પાંખોના જવાનો- અધિકારીઓની રજા રદ કરાઈ છે તથા તમામને તાત્કાલીક તેમના હેડકવાટર પર ફરજ માટે હાજર થઈ જવા આદેશ અપાયા છે.
આ માટે સરકારે રેલવે તથા એરલાઈનને લશ્કરી ડયુટી માટે આવતા-જતા અધિકારીઓ જવાનોને રીઝર્વેશન સહિતની પ્રાથમીકતા આપવા પણ સૂચના આપી છે.