Veraval, તા. 20
ગુજરાતના 12 નોટીકલ માઇલની અંદર લાઇન તથા લાઇટ ફીશીંગની મનાઇ હોવા છતાં મહારાષ્ટ્રની બોટો ફીશીંગ કરતી હોવાથી તેમની સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરેલ છે જેમાં છ બોટોના માલીકો સામે મહારાષ્ટ્રના આસીસ્ટન્ટ કમીશ્નર ફીશરીઝ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરી માછીમારોની બોટો પર મહારાષ્ટ્ર મરીન ફિશિંગ રેગ્યુલેશન એક્ટ, 1981 (ઓર્ડિનન્સ, 2021) એક્ટ મુજબ કાર્યવાહી કરી માછીમારીનું લાઇસન્સ અને જહાજ નોંધણી પ્રમાણપત્ર (વી.આર.સી.) રદ કરવામાં આવ્યું છે અને મહારાષ્ટ્ર મરીન ફિશિંગ રેગ્યુલેશન એક્ટ, 1981 (ઓર્ડિનન્સ, 2021) એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવેલ છે.આ બાબતે માચ્છીમારઆગેવાનો દ્વારા સાંસદ રાજેશભાઇ ચુડાસમાને રજૂઆત કરેલ ત્યારબાદ આ અંગે કાયદાકીય કાર્યવાહી હાથ ધરાતા રજૂઆતને સફળતા મળેલ છે.
લાઈન ફીશીંગ, લાઈટ ફીશીંગ તેમજ પેરા ફીશીંગ ઉપર પ્રતિબંધ મુકવા બાબતે તથા આવી પ્રવૃતિઓને તાત્કાલિક બંધ કરાવવા અંગે ગુજરાતનાં માચ્છીમાર આગેવાનોના પ્રતિનિધિ મંડળ દ્વારા જીલ્લાના સાંસદ રાજેશભાઇ ચુડાસમા તેમજ કેન્દ્રીય ફીશરીઝ મીનીસ્ટર પરસોતમભાઈ રૂપાલા સહીતનાને રૂબરૂ મળી રજૂઆતો કરેલ હતી અને આ પ્રકારની ફીશીંગ પધ્ધતિનાં કારણે માચ્છીમાર સમાજને કેટલુ નુકશાન થઈ રહયુ હોય તેનાંથી પણ મંત્રીને વાકેફ કરવામાં આવેલ હતા. આ બાબતને કેન્દ્ર સરકાર અત્યંત ગંભીરતાથી લઇતાજેતરમાં 12 નોટીકલ માઇલની અંદર મહારાષ્ટ્રની ફીશીંગ બોટો ગેરકાયદે ફીશીંગ કરતી હોવાથી આ તમામ બોટોની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
જેમાં (1) ચેતન ચંદ્રકાંત કોળી (ચૈતન્ય સાઈ નિત્યાનંદ) (2) માયાવતી ચંદ્રકાંત કોલી (નમો શ્રીપતિ નિત્યાનંદ) (3) રવિરાજ જનાર્દન કોળી (સાઇ તુલસી) (4) દેવાનંદ દામોદર નાખ્વા (શ્રી ઓમ મોહતક સાઇ) તેમજ (5) શ્વેતા ભરત ખરડે (ઓમ દત્ત કાન્તી) અને (6) ભરત ભગવાન ખરડે (હિંગલાઇ ધ્વની) ની સામે મહારાષ્ટ્રના આસીસ્ટન્ટ કમીશ્નર ફીશરીઝ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરી માછીમારોની બોટો પર મહારાષ્ટ્ર મરીન ફિશિંગ રેગ્યુલેશન એક્ટ, 1981 (ઓર્ડિનન્સ, 2021) એક્ટ મુજબ કાર્યવાહી કરી માછીમારીનું લાઇસન્સ અને જહાજ નોંધણી પ્રમાણપત્ર (વી.આર.સી.) રદ કરવામાં આવ્યું છે અને મહારાષ્ટ્ર મરીન ફિશિંગ રેગ્યુલેશન એક્ટ, 1981 (ઓર્ડિનન્સ, 2021) એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવેલ છે.