Bhavnagar ,તા.27
ભાવનગરના જીલ્લા ના સુપ્રસિદ્ધ જૈન તીર્થધામ પાલિતાણામાં એક અદભૂત અને કુતૂહલ પ્રેરક દ્રશ્ય સર્જયું હતું. શ્રદ્ધાળુઓની ભીડ વચ્ચે પદ્માવતી માતાજીના મંદિર નજીક સિંહ જોવા મળ્યા હતા. સિંહની હાજરીથી જૈન શ્રદ્ધાળુઓમાં ભારે કુતૂહલ સર્જાયું હતું.
પ્રાપ્તમાહિતીઅનુસારપદ્માવતીમંદિર તરફ જતા માર્ગ પર 4 સિંહોના એક ટોળામાંથી બે સિંહ પાલીતાણા જૈન તીર્થના માર્ગ પર લટાર મારતા જોવા મળ્યા હતા. ડુંગર પરથી આ સિંહો અચાનક જૈન તીર્થધામના પથ પર પહોંચી ગયા હતા.
સૌથી અચરજની વાત એ હતી કે આ માર્ગ પર શ્રદ્ધાળુઓ અને સિંહ એકસાથે ચાલતા નજરે પડ્યા હતા. આ દ્રશ્ય જોઈને જાણે સિંહ પણ આદિનાથ ભગવાનના દર્શન કરવા પહોંચ્યો હોય તેવો માહોલ સર્જાયો હતો.
મહત્ત્વની વાત એ છે કે સિંહે શ્રદ્ધાળુઓને કોઈપણ જાતનું નુક્સાન પહોંચાડ્યું નહોતું. જૈન તીર્થધામના પવિત્ર માર્ગ પર સિંહદર્શન થતાં શ્રદ્ધાળુઓ માટે આ એક અનન્ય અને યાદગાર ક્ષણ બની રહી હતી.

