Manavadar,તા.01
માણાવદર નગરપાલિકા હસ્તકના સ્મશાનગૃહની હાલત પૂર્વ વહીવટદારના શાસનમાં અતિ બદત્તર થઈ ગઈ છે. આ અંતિમ વિસામાં તરફ પાલિકાએ જરાય લક્ષ્ય આપ્યું નથી જે મહા કમનસીબી ગણાય છે. આજરોજ માણાવદર મામલતદાર કચેરીમાં નવા વરાયેલા મામલતદાર મહેશભાઈ શુક્લાએ સાવ ઓચંતી મુલાકાત લેતા ત્યાની હાલત જોતા આ અધિકારી ચોંકી ઉઠ્યા હતા.
સરપ્રાઈઝ ચેકિંગ કરતા સ્મશાનગૃહની અંદરની લાઈટો બંધ પડી છે, પીવાના પાણીની વ્યવસ્થા નથી, સ્મશાનગ્રહમાં સફાઈના અભાવે ગંદકીમાં ફેરવાઈ ગયું છે. અંદર સંડાશ- બાથરૂમ બંધ હાલતમાં પડ્યા છે. સ્મશાનમાં પગીની હાજરી ન હતી
મામલતદાર આવી બદતર સ્થિતિ જોઈને ભડકી ઉઠ્યા હતા અને તાકીદથી નગરપાલિકાને મેસેજ આપી બે દિવસની અંદર સફાઈ કામ શરૂ કરી ગંદકી દૂર કરવા સૂચના આપી છે તદઉપરાંત બંધ પડેલી તમામ લાઈટો ચાલુ કરવા તથા જાહેર જાજરૂ -બાથરૂમ ચાલુ કરવા તાકીદ કરી છે. તદઉપરાંત સ્મશાનગ્રહમાં દિવસના તથા રાત્રિના પગીની હાજરી આવશ્યક ગણાવી છે પીવાના પાણીની તાકીદે વ્યવસ્થા કરવા પણ જણાવ્યું છે. મામલતદાર મહેશભાઈ શુક્લાએ બદતર હાલતમાં ફેરવાયેલા સ્મશાનગૃહનું કલેરવ બદલી નાખવા અથવા નવું સ્મશાનગૃહ શરૂ કરવા પાલિકાના ચીફ ઓફિસર તથા મુખ્ય કર્મચારીને તાકીદ કરી છે