Mangrol,તા.27
માંગરોળ ગોપાલ કૃષ્ણ ગૌ શાળામાં ખાતે ભાજપ દ્વારા ૭૪માં સંવિધાન દિવસ ની ઉજવણી કાર્યક્ર્મ યોજવામાં આવેલ જેમાં માંગરોળ તાલુકાના અને જિલ્લા ના આગેવાનો હાજરી આપી હતી
આ કાર્યક્ર્મ માં ભાજપ આગેવાનો દ્વારા જણાયું હતું કે કોંગ્રસ દ્વારા જાતિ ને અલગ કરી રાજ કરવાની નીતિ અપનાવી રહ્યા છે કૉંગ્રેસ ત્યારે ભાજપે તમામ સમાજ ને એક કરી સંવિધાન દિવસની ઉજવણી કરવાનું કાર્ય કર્યું છે અને સંવિધાન દિવસ અંતર્ગત કાર્યક્ર્મ માં
શપથ ગ્રહણ કર્યા તેમજ રેલી નાં સ્વરૂપમાં બંધારણ ની શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને ડો.બાબાસાહેબ નાં સ્ટેચ્યુ પોહચી ફુલ હાર કરી ડૉ બાબા સાહેબ આંબેડકર અમર રહો નારા લગાવ્યા હતા
આ કાર્યક્ર્મ માં રાજકોટ ગ્રામ્ય નાં પૂર્વ ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, રાષ્ટ્રીય બક્ષીપંચ મોરચા ઉપાઘ્યક્ષ વેલજીભાઈ મસાણી, પ્રદેશ ઉપાધ્યક્ષ જીતુભાઈ મણવર, જિલ્લા પંચાયત સદસ્ય જીવાભાઈ સોલંકી, જિલ્લા ભાજપ અનુ જાતિ મોરચા પ્રમુખ બાબુભાઈ મકવાણા, મોરચા મહામંત્રીઓ શહેર ભાજપ પ્રમૂખ લીનેશભાઈ સોમૈયા, તાલુકા ભાજપ પ્રમુખ દાનાભાઈ બાલસ, તાલુકા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ ડાભી, શહેર મોરચા પ્રમુખ ભાણજીભાઈ ગોહેલ, તાલુકા મોરચા પ્રમુખ ગોવિંદભાઈ ગોહેલ તથા સરપંચઓ આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા