New Delhi,તા.૯
આમ આદમી પાર્ટી (આપ) ના વરિષ્ઠ નેતા અને દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ સોમવારે ભ્રષ્ટાચાર વિરોધી શાખા (એસીબી) ના સમન્સનો જવાબ આપતા કહ્યું કે તેઓ પૂર્વનિર્ધારિત કાર્યક્રમને કારણે હાજર રહી શકશે નહીં. તેમના વકીલે આ સંદર્ભમાં એસીબીને ઔપચારિક જવાબ મોકલ્યો છે.એસીબીએ એક કેસમાં પૂછપરછ માટે સિસોદિયાને સમન્સ પાઠવ્યું હતું.
દિલ્હી સરકારી શાળાઓમાં વર્ગખંડોના બાંધકામમાં કથિત ભ્રષ્ટાચાર અંગે પૂછપરછ માટે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ ૬ જૂને સત્યેન્દ્ર જૈનને એસીબી ઓફિસમાં સમન્સ પાઠવ્યું હતું. સત્યેન્દ્ર જૈન એસીબી ઓફિસ પહોંચ્યા હતા, જ્યાં તેમની આ મામલે પૂછપરછ કરવામાં આવી હતી. તે જ સમયે, ૯ જૂન, સોમવારના રોજ મનીષ સિસોદિયાને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા.
સીવીસી અનુસાર, વર્ગખંડોના બાંધકામનો ખર્ચ પ્રતિ રૂમ ૨૪.૮૬ લાખ રૂપિયા દર્શાવવામાં આવ્યો હતો, જ્યારે સામાન્ય રીતે તેના બાંધકામમાં માત્ર ૫ લાખ રૂપિયાનો ખર્ચ થતો હતો. ઝ્રફઝ્ર ના ૨૦૨૦ ના અહેવાલમાં સીપીડબ્લ્યુડી નિયમો, નાણાકીય માર્ગદર્શિકા અને ટેન્ડર પ્રક્રિયામાં પણ અનિયમિતતાઓ બહાર આવી હતી.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સેમી પરમેનન્ટ સ્ટ્રક્ચરની કિંમત પ્રતિ ચોરસ ફૂટ ૮૮૦૦ રૂપિયા હતી. આ સામાન્ય કરતાં પાંચ ગણી વધુ હતી. તપાસમાં જાણવા મળ્યું કે ૨૦૧૫-૧૬માં મંજૂર થયેલો પ્રોજેક્ટ જૂન ૨૦૧૬ સુધીમાં પૂર્ણ થયો ન હતો. તેની કિંમત ૧૭ ટકાથી વધીને ૯૦ ટકા થઈ ગઈ.
આપ સાથે સંકળાયેલા ૩૪ કોન્ટ્રાક્ટરોને અનુચિત લાભ આપવાના પણ આરોપો લગાવવામાં આવ્યા હતા. ભાજપ અને કોંગ્રેસે તેને જાહેર નાણાંની લૂંટનો કેસ ગણાવ્યો છે. મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન પહેલાથી જ અન્ય કેસોમાં તપાસનો સામનો કરી રહ્યા છે. સિસોદિયા દારૂ નીતિ કેસમાં જેલમાં ગયા છે. જૈન મની લોન્ડરિંગ કેસમાં જામીન પર બહાર છે.