Junagadh,તા. ૧૭
માંગરોળ પંથકમાં એક પરણીતાએ પિયર પક્ષ પાસેથી ગાડી લેવા માટે પૈસા આપવાની ના પાડતા, પતિ, સાસુ તથા નણંદે શારીરિક, માનસિક દુઃખ, ત્રાસ આપ્યો હોવાની પોલીસમાં ફરિયાદ થવા પામી છે.
માંગરોળ તાલુકાના લોએજ ગામે પિયરીયું અને શીલ ગામે સાસરિયું ધરાવતા જ્યોતીબેન ડો/ઓફ તુલશીભાઇ વાઢેરને ઘરના કામકાજ બાબતે તેના પતિ પ્રકાશભાઇ ભરતભાઇ વાઘેલા, સાસુ જીવીબેન તથા નણંદ ગૌરીબેન વારંવાર મેણાટોણા મારી, પતિ પ્રકાશભાઇ એ જ્યોતીબેનના પીયરપક્ષ પાસેથી ગાડી લેવા માટે પૈસા અપાવવાની માંગણી કરેલ જે પૈસા આપવાની જ્યોતીબેન એ ના પાડતા, તેનું બાબતનું મન દુ:ખ રાખી, જ્યોતીબેનને શરીરે ઢીકાપાટુનો માર મારી શારીરીક માનસીક દુઃખ ત્રાસ આપ્યો હોવાની જ્યોતીબેને માંગરોળ મરીન પોલીસ સ્ટેશનમાં તેના પતિ, સાસુ અને નણંદ વિરુદ્ધ ગુન્હો દાખલ કરાવેલ છે.