Gandhinagar,તા.૩૦
રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. તેમના પાક નાશ પામ્યા છે, તેમની મહેનત અધૂરી રહી છે, જેના કારણે નોંધપાત્ર નાણાકીય નુકસાન થયું છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આજે જાહેરાત કરી હતી કે દુષ્કાળથી થયેલા નુકસાનનો સર્વે સાત દિવસમાં પૂર્ણ કરવામાં આવશે, અને સર્વે પૂર્ણ થયા પછી રાહત પેકેજ જાહેર કરવામાં આવશે.
કમૌસમી વરસાદને કારણે રાજ્યના ખેડૂતોને નોંધપાત્ર નુકસાન થયું છે. ખેડૂતોએ તેમના નાણાકીય નુકસાન માટે પૂરતા અને વાજબી વળતરની માંગ કરી છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે દુષ્કાળથી થયેલા નુકસાનનો સર્વે સાત દિવસમાં પૂર્ણ કરવામાં આવશે, અને સર્વે પૂર્ણ થયા પછી રાહત પેકેજ જાહેર કરવામાં આવશે.
મંત્રી પ્રવક્તા જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે પાંચ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે ૧૦ લાખ હેક્ટરથી વધુ જમીન પર પાકનો નાશ થયો છે. આ દુષ્કાળ ઘણા વર્ષોમાં અભૂતપૂર્વ રહ્યો છે.
તેમણે જણાવ્યું કે મંત્રીઓને વિવિધ ક્ષેત્રો માટે જવાબદારી સોંપવામાં આવી છે, અને તમામ જિલ્લાઓમાં રીઅલ-ટાઇમ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. સોયાબીન, શેરડી અને તુવેરના પાકને નુકસાન થયું છે. તેમણે જણાવ્યું કે સરકાર ખેડૂતો સાથે ઉભી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં ઓક્ટોબર-૨૦૨૫ના છેલ્લા એક અઠવાડિયામાં વરસેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને થયેલા નુકસાન તેમજ ખેડૂતોને ફરી બેઠો કરવા માટે આર્થિક નુકશાનીમાં સહાયરૂપ થવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં થયેલી ચર્ચા અંગે પ્રેસ-મીડિયાના મિત્રોને માહિતી આપતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર તરફથી મળેલા પ્રાથમિક અહેવાલ અનુસાર ગત તા. ૨૩ થી ૨૮ ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં ૩૩ જિલ્લાના ૨૩૯ તાલુકામાં સમાન્યથી અતિભારે વરસાદ વરસ્યો હતો. જેમાં હાલના તબક્કે આશરે ૧૦ લાખ હેકટરથી વધુ વિસ્તારમાં નુકશાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ છે.મંત્રી વાઘાણીએ કહ્યું હતું કે, બેઠકમાં મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીએ રાજ્યના ખેડૂતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી તેમજ કમોસમી વરસાદથી અસરગ્રસ્ત જિલ્લામાં તાત્કાલિક ધોરણે જીડ્ઢઇહ્લના ધારાધોરણો મુજબ સર્વે શરૂ કરીને, તેને સાત દિવસમાં પૂર્ણ કરવા સૂચનાઓ આપી છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
પ્રવક્તા મંત્રીએ આ અંગે જણાવ્યું હતું કે, ખેડૂતોને ઝડપથી સહાય પૂરી પાડવાના આશય સાથે અદ્યતન ટેકનોલોજી – કૃષિ પ્રગતિના માધ્યમથી ઝડપથી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે. ટેક્નોલોજીકલ સર્વે ઉપરાંત ભૌતિક સર્વે પણ હાથ ધરવામાં આવશે, જેથી રાજ્યનો કોઈપણ અસરગ્રસ્ત ખેડૂત સહાયથી વંચિત ન રહી જાય.
રાજ્યમાં હજુ પણ જે ખેડૂતોનો પાક ઉભો છે, તે પાકના સંરક્ષણ માટે કૃષિ વિભાગ દ્વારા એક વિશેષ “એગ્રો એડવાઇઝરી” જિલ્લાવાર જાહેર કરવામાં આવી છે. આ એડવાઇઝરીમાં વિવિધ ઊભા પાકની જાળવણી માટેના વૈજ્ઞાનિક પગલાંઓ સૂચવવામાં આવ્યા છે. આ ઉપરાંત ખેડૂતોને વિવિધ માધ્યમો દ્વારા યોગ્ય માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવી રહ્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે, કમોસમી વરસાદને ધ્યાને રાખીને મુખ્યમંત્રીએ રાજ્ય મંત્રી મંડળના સભ્યોને ત્વરિત અસરગ્રસ્ત વિસ્તારોની પ્રત્યક્ષ મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવવા આદેશ આપ્યો હતો.

