ફકત 75 દિવસોમાં જ ડાયાબીટીસ મુકત પણ હજુ પાંચ વર્ષ આ પ્રક્રિયા ચાલુ રહે તે જરૂરી: ડોનર સ્ટેમસેલની આડઅસર પણ તપાસાશે
China,તા.16
તબીબી ઈતિહાસમાં એક નવી સિમાચીન્હ સમાન સફળતામાં ચીનમાં તબીબોએ 25 વર્ષના એક મહિલાનું ટાઈપ-વન ડાયાબીટીસ રીવર્સ કરવામાં સફળતા મેળવી છે આજે જયારે ડાયાબીટીસ એ ભારત સહીત વિશ્વભરમાં એક સૌથી સામાન્ય છતા ગંભીર રોગ બની ગયો છે અને તે ફકત અનેક રોગને આમંત્રણ આપે છે અને લાઈફ સ્ટાઈલને પણ મોટી અસર કરે છે.
ભારત તો દુનિયાનું ડાયાબીટીકનું પાટનગર ગણાય છે અને જો ડાયાબીટીક કન્ટ્રોલ કરી શકો નહિં કે તેનો ઈલાજ થાય નહિં તો તે આંધણાપણુ કીડની નિષ્ફળ જવાની હૃદયરોગ અને તેવા અનેક ઘાતક રોગોને આમંત્રણ આપે છે અને વિશ્વ આરોગ્ય સંસ્થાનાં રીપોર્ટ મુજબ વિશ્વમાં અડધો અબજ લોકો ડાયાબીટીકની બિમારીથી પીડાય છે.
જ્યા ભારતમાં 7.40 કરોડ દર્દીઓ છે અને તે 29 થી 79 વર્ષનાં લોકો સુધી પહોંચ બનાવી લીધી છે. મદ્રાસ ડાયાબીટીક રીસર્ચ ફાઉન્ડેશન અને ઈન્ડીયન કાઉન્સીલ ઓફ મેડીકલ રીસર્ચનાં અંદાજ મુજબ 2,50 કરોડ ભારતીયો પ્રી ડાયાબીટીક છે એટલે કે તેઓ ગમે તે સમયે ડાયાબીટીકનો શિકાર બની શકે છે. અથવા તો કહો કે બોર્ડર પર છે અને વિશ્વનાં દર છ માંથી એક ડાયાબીટીક દર્દી ભારતમાં છે.
હવે ચીનમાં 25 વર્ષના એક મહિલા જે ટાઈપ-વન ડાયાબીટીકથી પીડાતા હતા તેને રીપ્રોગ્રાન્ડ સ્ટેમ સેલ થેરાપીની સારવાર અપાઈ હતી. સ્ટેમ સેલ એ માનવની શરીરની રચનાના મુળભૂત કોષ (સેલ) છે અન બાળકના જન્મ સમયે તે નાડમાંથી મેળવી શકાય છે.સ્ટેમ સેલનું તબીબી જગત વિશાળ છે જેમાં હજુ પ્રારંભીક રીતે સંશોધન થયુ છે.
આ દર્દીની સારવાર માટે એક ડોનરનાં પેન્કીમાસ સ્વાદપીંડુ જે શરીર માટે આવક રસ તૈયાર કરે છે તેમાંથી આ સેમસેલ મેળવાયા હતા. જેને ઈસ્યુલીન પેદા કરવા માટે રીપ્રોગ્રામીંગ કરીને દર્દીનાં શરીરમાં પ્રત્યાપણ કરાયા હતા અને 75 દિવસ બાદ આ મહિલાનાં શરીરમાં ઈસ્યુલીન પેદા થવા લાગ્યુ હતું ટાઈપ-વન ડાયાબીટીસમાં જે તે વ્યકિતનાં શરીરનું પેન્કિવાસ ઈસ્યુલીન પેદા કરતું નથી અને સ્ટેમસેલની મદદથી આ પ્રક્રિયા રીસર્ચ કરવામાં આવી એટલે કે તેનુ સ્વાદપીંડુ ઈસ્યુલીન પેદા કરવા લાગ્યુ હતું.
વાસ્તવમાં પ્રારંભીક રીતે ડાયાબીટીક રીસર્ચ થયુ તે લાંબા ગાળા માટે ઈુસ્યુલીન તૈયાર કરે તેના પર હવે પ્રયાસ થઈ રહ્યા છે. આ ચાઈનીઝ મહિલા અગાઉ લીવર ટ્રાન્સપ્લાન્ટમાંથી પસાર થઈ ચુકી હતી અને આ સ્ટેમ સેલ થેરાપીથી તેના શરીરમાં કોઈ વધારાની આડ અસર થઈ શકે છે કે કેમ તેના પર પણ અભ્યાસ થશે.
હવે જો આ સ્ટેમસેલ સતત નીચે સ્વાદપીંડુને ઈુસ્યુલીન પેદા કરવાની પ્રક્રિયાઓ સાથ આપે તો ભવિષ્યમાં ડાયાબીટીસ રીસર્ચ કરવાની પ્રક્રિયા સરળ બની જશે. ચાઈનામાં 35 તબીબોની ટીમે 1 વર્ષ સુધી આ પ્રક્રિયા પર નજર રાખી હતી
ભુતકાળમાં ઉંદર અને સસલા પર તેના પ્રયોગ થયા હતા. અને તેમની આ તબીબી ઉપલબ્ધીને વૈશ્વિક રીતે પણ આંતર રાષ્ટ્રીય ગણવામાં આવે છે પણ તેના લાંબા ગાળાનાં જોખમો પર હવે અભ્યાસ થશે. મુંબઈની સર એચએન રીલાયન્સ હોસ્પીટલનાં ક્ધસલટન્ટ ડો.ડેવીડ ચાંડી કહે છે કે સ્ટેમસેલનો ઉપયોગ અન્ય અસરો ઉભી કરી શકે છે.