Ahmedabad,તા.૨૨
નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે તા. ૨૫/૦૩/૨૦૨૫, ૨૯/૦૩/૨૦૨૫, ૦૯/૦૪/૨૦૨૫, ૦૨/૦૫/૨૦૨૫ અને ૧૪/૦૫/૨૦૨૫ ના રોજ યોજાનારી આગામી આઇપીએલ-૨૦૨૫ ની ડે-નાઈટ ક્રિકેટ મેચોને ધ્યાનમાં રાખીને,જીએમઆરસીએ અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓને સવારના ૬ઃ૨૦ વાગ્યાથી મધ્યરાત્રિના ૧૨ઃ૩૦ વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે.
અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓની હાલની સમયમર્યાદા સવારે ૬ઃ૨૦ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી છે. રાત્રિના ૧૦ વાગ્યાથી મધ્યરાત્રિના ૧૨ઃ૩૦ વાગ્યા સુધીના લંબાયેલ સમય દરમ્યાન માત્ર મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અને સાબરમતી મેટ્રો સ્ટેશન પરથી મેટ્રોમાં બેસી શકાશે અને ત્યાંથી અમદાવાદ મેટ્રોની બંને કોરિડોર (મોટેરાથી એપીએમસી અને થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ) ના કોઈ પણ કાર્યરત મેટ્રો સ્ટેશન પર જઈ શકાશે.