Morbi.તા.30
વાંકાનેરના લાકડધાર ગામની સીમમાં આવેલ ફેકટરીમાં ગળેફાંસો ખાઈ ૪૧ વર્ષના આધેડે આપઘાત કર્યો હતો આર્થિક તંગીને કારણે આપઘાત કર્યાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે
મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ લાકડધાર ગામની સીમમાં ઇનડીઝાઇન સિરામિક લેબર કોલોનીમાં રહેતા નવલસિંહ કનુભાઈ રાઠોર (ઉ.વ.૪૧) વાળાએ પોતાની લેબર કોલોનીમાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો વાંકાનેર તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે મૃતક પૈસાની આર્થિક તંગીને કારણે આપઘાત કર્યાનું ખુલ્યું છે પોલીસે આપઘાતના બનાવ મામલે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે