Morbi,તા.11
મોરબીના નવા નાગડાવાસ ગામના પાટિયા નજીક કાર પલટી મારી ગઈ હતી જે અકસ્માતમાં ઉત્તરપ્રદેશના રહેવાસી આધેડનું મોત થયું હતું બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
ઉત્તરપ્રદેશ રાજ્યના વતની ક્રિષ્ના કૃષ્ણચંદ્ર ત્રિવેદી (ઉ.વ.૪૧) વાળાએ કાર જીજે ૦૩ બીવાય ૨૪૦૧ ના ચાલક ગૌરાંગ ભીખાભાઈ મજેઠીયા રહે ગડુ તા. માળિયા (હા) વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે કાર ચાલક ગૌરાંગભાઈએ કાર વધુ સ્પીડમાં ચલાવી કાર પરથી કાબુ ગુમાવી દેતા નવા નાગડાવાસ ગામના પાટિયા પાસે કાર રોડની સાઈડમાં પલટી ખાઈ જતા કારમાં પાછળ બેસેલ ફરિયાદીના પતિ કૃષ્ણચંદ્ર ત્રિવેદીને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે