Morbi,તા.16
મહેન્દ્રનગર ચોકડી પાસે પરપ્રાંતીય ૪૬ વર્ષના આધેડને ચક્કર આવતા પડી જતા હોસ્પિટલ ખસેડાયા હતા પરંતુ સારવાર કારગત નિવડે તે પૂર્વે આધેડનું મોત થયું હતું
મધ્યપ્રદેશના રહેવાસી દોલતરામ દેવચંદ વર્મા (ઉ.વ.૪૬) નામના આધેડ ગત તા. ૧૪ ના રોજ મહેન્દ્રનગર ચોકડી પાસે હતા ત્યારે અચાનક ચક્કર આવતા પડી ગયા હતા જેથી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા મોરબી સીટી બી ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે