Morbi,તા.17
રફાળેશ્વર ગામે રહેતો ૧૬ વર્ષનો સગીર પડી જતા પગે ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયો હતો જ્યાં સારવારમાં મોત થયું હતું બનાવ મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે
મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે ખોડીયાર માતાજીના મંદિર પાસે રહેતા હરપાલસિંહ શક્તિસિંહ ઝાલા (ઉ.વ.૧૬) નામના સગીર ગત તા. ૧૫ ના રોજ પોતાની જાતે પડી જતા જમણા પગે ઈજા પહોંચતા સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં સગીરનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે