Morbi,તા.17
માટેલ રોડ પરની ફેકટરીમાં રહીને મજુરી કરતા શ્રમિક પરિવારની ૧૩ વર્ષની બાળકી ૧૫ દિવસથી બીમાર હતી અને બીમારી સબબ મોત થતા પોલીસે બનાવ મામલે તપાસ ચલાવી છે
મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ વાંકાનેરના માટેલ રોડ પર સ્પેનટો પેપરમિલમાં રહીને કામ કરતા સુનીલભાઈ રાવતની ૧૩ વર્ષની દીકરી લાલતી પંદર દિવસથી બીમાર હતી અને બીમારી સબબ મોત થયું હતું બનાવની જાણ થતા વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે