Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ભારત અને અમેરીકા વચ્ચે ત્રાસવાદી સામેની લડાઈમાં સહયોગનો મજબૂત પૂરાવો: Jaishankar

    July 18, 2025

    Pahalgam attack ના જવાબદાર TRF ને ત્રાસવાદી સંગઠન જાહેર કરતું અમેરિકા

    July 18, 2025

    Gold માં 6 માસમાં 26 ટકા રિટર્ન : ડિસેમ્બર સુધીમાં ભાવ વધુ 15 ટકા વધશે

    July 18, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ભારત અને અમેરીકા વચ્ચે ત્રાસવાદી સામેની લડાઈમાં સહયોગનો મજબૂત પૂરાવો: Jaishankar
    • Pahalgam attack ના જવાબદાર TRF ને ત્રાસવાદી સંગઠન જાહેર કરતું અમેરિકા
    • Gold માં 6 માસમાં 26 ટકા રિટર્ન : ડિસેમ્બર સુધીમાં ભાવ વધુ 15 ટકા વધશે
    • રીલ બનાવો અને પૈસા કમાઓ, Indian Government આપી રહી છે 15,000 જીતવાની તક
    • Amit Chavda ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, તુષાર ચૌધરી વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે વરણી
    • 41 ટકા કેદીઓને વિડીયો કોન્ફરન્સથી કોર્ટમાં રજુ કરાયા : Technology ના ઉપયોગમાં અગ્રેસર
    • Gondal, Palitana, Sinhor સહિતની તા.પંચાયતોને નવા મકાનો બાંધવા,સોલાર રૂફટોપ માટે મંજૂરી
    • Non-Ujjawala PNG Connections માં ગુજરાત દેશમાં નંબર-1
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Modi Stadium માં ઈતિહાસ રચાયો: BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવની ભવ્યાતિત ઉજવણી
    અમદાવાદ

    Modi Stadium માં ઈતિહાસ રચાયો: BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવની ભવ્યાતિત ઉજવણી

    Vikram RavalBy Vikram RavalDecember 9, 2024No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.9
    આજે વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સેવા, સમર્પણઅને ગુરુભક્તિથી છલકાઈ રહેલાં એક લાખ જેટલાં કાર્યકરોનું રોમાંચક પ્રસ્તુતિઓથી અદ્ભુત અભિવાદન કરવામાં આવ્યું હતું. 

    કાર્યક્રમના પ્રારંભમાં બી.એ.પી.એસ.ની કાર્યકર પ્રવૃત્તિના મધ્યસ્થ કાર્યાલયના મુખ્ય કાર્યવાહક સંત પૂ. યજ્ઞપ્રિય સ્વામીએ તેઓના સંબોધનમાંમહંત સ્વામી મહારાજને કાર્યકરોન ેવધાવવાનો કેવો ઉમંગ છે તેના વિષે વાત કરી હતી. 

    ત્યારબાદ કલાત્મક વિશિષ્ટ રથમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું આગમન થયું ત્યારે અદ્ભુત માહોલ રચાયો હતો. સમગ્ર સ્ટેડિયમમાંથી પસાર થઈ રહેલાં મહંત સ્વામી મહારાજના રથની સમાંતર ચાલી રહેલી પ્રસ્તુતિમાં –  જેમ જેમ રથ આગળ વધતો ગયો એટલે કે સત્પુરુષનો સંસ્પર્શ સૌ કાર્યકરો પામતા ગયા તેમ તેમવિખરાયેલામણકા એક માળામાંપરોવાઈ ગયા અને ગુલાબની પાંખડીઓ ક્યારેય ન કરમાય તેવી સુવર્ણ પાંખડીઓમાં પરિવર્તન પામી – આવી અર્થપૂર્ણ અને આકર્ષક રીતે મહંત સ્વામી મહારાજનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

    955 બાળ-યુવા કાર્યકરો દ્વારા રજૂ કરાયેલી આ વિશિષ્ટ પ્રસ્તુતિ માટે 550 પુષ્પ પાંખડીઓ અને 225 મણકા બનાવવામાં ચાર મહિના જેટલો સમય લાગ્યો હતો.  ત્યારબાદ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. 

    પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇમોદીએ શુભેચ્છા સંદેશ પાઠવ્યો
    પ્રધાનમંત્રીશ્રીનાઉદ્બોધનનાઅંશો બી.એ.પી.એસ. ની કાર્યકર શક્તિ માનવજાતના હિત માટે છે. બી.એ.પી.એસ ના કાર્યકરો વિશ્વમાં ભારતના પ્રભાવને ઉજાગર કરી રહ્યા છે.બી.એ.પી.એસ ના મંદિરો ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ચેતનાના પ્રતીક છે. પ્રમુખ સ્વામી મહારાજ સાથેનો મારો નાતો મારા જીવનનો એક અભિન્ન હિસ્સો છે. તાજેતરમાં બી.એ.પી.એસ. ના અબુ ધાબીમાં નિર્મિત મંદિરે વિશ્વને ભારતની આધ્યાત્મિક શક્તિના દર્શન કરાવ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજના પારિવારિક શાંતિ માટે ઘરસભા જેવા અભિયાનોને આપણે આગળ ધપાવવાના છે.  

    મુખ્ય કાર્યક્રમ: બીજ, વટવૃક્ષ અને ફળ અંતર્ગત પ્રસ્તુતિઓ
    પ્રથમ સોપાન હતું: બીજ – કાર્યકર પ્રવૃત્તિનો આરંભ 
    છેલ્લાં 100 કરતાં વધુ વર્ષોથી આરંભાયેલી આ સ્વયંસેવક પરંપરાનું બીજારોપણ અને તેના પોષણનીઅદભૂત રજૂઆત કરવામાં આવી હતી.  સત્પુરુષના પ્રેમ દ્વારા આ બીજ અંકુરિત થાય છે. બી. એ. પી. એસ. ના સ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ અને ત્યારબાદ બ્રહ્મસ્વરૂપયોગીજીમહારાજે આ કાર્યકર પ્રવૃત્તિના બીજ રોપ્યા અને ક્રમશ: તેઓ અંકુરિત થયા. 

    ત્યારબાદ બી.એ.પી.એસ. ના આંતરરાષ્ટ્રીય સંયોજક પૂ. ઈશ્વરચરણ સ્વામીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. 

    દ્વિતીય સોપાન હતું: વટવૃક્ષ -મૂલ્યનિષ્ઠકાર્યકરદળ
    એક નાના બીજમાંથી વટવૃક્ષ બનેલી આ સ્વયંસેવક-સેવાઓ ભારત અને વિશ્વભરમાં કેવી રીતે વ્યાપી અને અનેક વિપરીત સંજોગોનાવાવાઝોડા વચ્ચે પણ કર્તવ્યનિષ્ઠ રહેનાર કાર્યકરોની રોમાંચક ગાથાઓ આ વિભાગમાં પ્રસ્તુત થઈ હતી. 

    વિપરીત પરિસ્થિતિઓમાં પણ સેવામાં અડગ રહેતા બી. એ. પી. એસ. ના મહિલા કાર્યકરોના અને પુરુષ કાર્યકરોના વિશિષ્ટ પ્રસંગોપર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું. 
    તૃતીય સોપાન હતું: ફળ – પવિત્ર, શાંતિમય વિશ્વ આ કાર્યકરોની નિસ્વાર્થ સેવાઓનાંમીઠાં ફળ સમાજનાકરોડો લોકો માણી રહ્યા છે, તેની દિલધડક પ્રસ્તુતિ આ વિભાગમાં રજૂ થઈ હતી. જમીનમાં તો ફળ થાય, પરંતુ આકાશમાં ફળ ઉગાડવા જેવી અશક્ય લગતી બાબતોને પોતાની નિષ્ઠા અને સમર્પણથી સાકાર કરનાર લોકોની ભેટ વિશ્વને આ કાર્યકરોના રૂપમાં મળી છે. 

    ત્યારબાદ બી. એ. પી. એસ. ના વરિષ્ઠ સંત પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ તેઓના ઉદ્બોધનમાં જણાવ્યું,  કાર્યકરોનું અભિવાદન કરવા માટે આજે પ્રમુખ સ્વામી મહારાજનાજન્મદિન કરતાં ઉત્તમ દિવસ અને સમય કયો હોઈ શકે? બી.એ.પી.એસ. ના કાર્યકરોએ વિશાળ સંઘશક્તિનું જ્વલંત ઉદાહરણ પૂરું પાડ્યું – અમદાવાદમાં યોજાયેલ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ વખતે. જ્યારે કાર્યકરોએ અકલ્પનીય કાર્ય શક્ય બનાવ્યું, 600 એકરમાં નગર ઊભું કરી દીધું, જેમાં સવા કરોડ જેટલાં લોકો પવિત્ર પ્રેરણા લઈને ગયા. 80,000 સ્વયંસેવકો જયાં તને-મને-ધને ન્યોછાવર થઈ ગયા.        

    બી.એ.પી.એસ. ના કાર્યકરોએઓછી સંખ્યામાં હોવા છતાં સંપ અને કાર્યનિષ્ઠાનુંજ્વલંત ઉદાહરણ પૂરું પાડ્યું  – યુક્રેન યુધ્ધ સમયે હાથ ધરાયેલા સેવા કાર્યમાં. જેમાં 27 ફેબ્રુઆરી, 2022 ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની વિનંતી બાદ 11 દેશોમાંથીબી.એ. પી.એસ. ના 64 સ્વયંસેવકોએ બીજા દિવસથી જ રાહત કેમ્પ તાત્કાલિક ધોરણે શરૂ કરી દીધો. આ કાર્યકરોએ ઠંડીમાં, ભૂખ્યા રહીને, ઉજાગરાવેઠીને 3700 જેટલાં ભારતીયોને મદદ કરી.

    બી. એ. પી. એસ. ના માત્ર એક કાર્યકરે નિષ્ઠાનું જ્વલંત ઉદાહરણ પૂરું પાડ્યું  – એકલા હાથે સેવાકાર્યો હાથ ધરીને. એવા ઘણાં કાર્યકરો છે જેમણે એકલાએ અનેક ગામો વ્યસનમુક્ત-અંધશ્રધ્ધા મુક્ત કર્યા છે. યુદ્ધની કટોકટીમાંઅનેક વ્યક્તિઓના જીવ બચાવ્યા છે, એવા ડોકટરો છે જેમણે લાખો દર્દીઓની નિશુલ્ક સારવાર કરી છે, એવા સમાજસેવી કાર્યકર જેમણે હજારો વિદ્યાર્થીઓ માટે છાત્રાલયની વ્યવસ્થા કરી છે, આવા અનેક ઉદાહરણો છે. 

    ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભારતના માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધનકરવામાં આવ્યા હતા. ત્યારબાદ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજેઆશીર્વચન પાઠવ્યા હતા. મહંત સ્વામી મહારાજનેપુષ્પહારોથીવધાવ્યા બાદ ઉત્સવની પૂર્ણાહુતિમાંમહાઆરતી કરવામાં આવી હતી. 

    બાળ-કિશોર-યુવા વૃંદ દ્વારા ‘ કાર્યકરાણાં અભિવંદનમ્, સમર્પિતાના મ્અભિવંદન’  શબ્દો દ્વારા નૃત્યાંજલિ પ્રસ્તુત  કરવામાં આવી હતી. કાર્યક્રમનાસમાપનમાંફાયરવર્ક્સ અને રિસ્ટબેન્ડસ્ સાથેની અદભુત પ્રસ્તુતિ સાથે ‘કાર્યકર સુવર્ણ મહોત્સવની જય’ ના જયજયકાર સાથે આ ઐતિહાસિક અવસરના સાક્ષી બની સૌએ ધન્યતાનો અનુભવ કર્યો હતો. 

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Non-Ujjawala PNG Connections માં ગુજરાત દેશમાં નંબર-1

    July 18, 2025
    Uncategorized

    Ahmedabad પોલીસ જ સાયબર ક્રિમિનલ બની એકાઉન્ટ ફ્રીઝ કરી અનફ્રીઝ કરવા તોડબાજી કરે છે

    July 17, 2025
    અમદાવાદ

    Ahmedabad માં ડિજીટલ એરેસ્ટ કરી લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગના છ શખ્સો ઝડપાયા

    July 17, 2025
    અમદાવાદ

    Lok Mela મામલો CMના અગ્રસચિવ મનોજ દાસને સોંપાતા ‘રાહતપૂર્ણ’ ઉકેલ આવવાના સંજોગો

    July 16, 2025
    અમદાવાદ

    જીરૂની નિકાસમાં 26 ટકાનો ઘટાડો

    July 16, 2025
    અમદાવાદ

    Ahmedabad: આર્મીનાં જેસીઓનાં પુત્રનું અપહરણ કરનાર ત્રણ શખ્સો ઝડપાયા

    July 16, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ભારત અને અમેરીકા વચ્ચે ત્રાસવાદી સામેની લડાઈમાં સહયોગનો મજબૂત પૂરાવો: Jaishankar

    July 18, 2025

    Pahalgam attack ના જવાબદાર TRF ને ત્રાસવાદી સંગઠન જાહેર કરતું અમેરિકા

    July 18, 2025

    Gold માં 6 માસમાં 26 ટકા રિટર્ન : ડિસેમ્બર સુધીમાં ભાવ વધુ 15 ટકા વધશે

    July 18, 2025

    રીલ બનાવો અને પૈસા કમાઓ, Indian Government આપી રહી છે 15,000 જીતવાની તક

    July 18, 2025

    Amit Chavda ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, તુષાર ચૌધરી વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે વરણી

    July 18, 2025

    41 ટકા કેદીઓને વિડીયો કોન્ફરન્સથી કોર્ટમાં રજુ કરાયા : Technology ના ઉપયોગમાં અગ્રેસર

    July 18, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ભારત અને અમેરીકા વચ્ચે ત્રાસવાદી સામેની લડાઈમાં સહયોગનો મજબૂત પૂરાવો: Jaishankar

    July 18, 2025

    Pahalgam attack ના જવાબદાર TRF ને ત્રાસવાદી સંગઠન જાહેર કરતું અમેરિકા

    July 18, 2025

    Gold માં 6 માસમાં 26 ટકા રિટર્ન : ડિસેમ્બર સુધીમાં ભાવ વધુ 15 ટકા વધશે

    July 18, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.