New Delhi,તા.06
અમેરિકાથી તડીપાર કરાયેલા ભારતીયો સાથેના અમાનવીય વ્યવહાર મુદે આજે એક તરફ વિપક્ષોએ સાંસદ ભવન બહાર દેખાવો યોજયા હતા. તો બીજી તરફ વિપક્ષના સાંસદ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવતા કહ્યું કે, મોદીજી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તો તમારા મિત્ર છે તો શા માટે મોદીજીએ ભારતીયોની હાલત આવી કરવા દીધી!
ભારતીયોને પરત લાવવા માટે તેઓ પોતાનું વિમાન શા માટે મોકલી શકતા નથી! શું ભારતીયો સાથે આ પ્રકારના વ્યવહાર કરી શકાય! તેઓને હાથ પગમાં બેડી પહેરાવવામાં આવી હતી. વડાપ્રધાન અને વિદેશમંત્રીએ તેનો જવાબ આપવો જોઈએ.
રાજયસભામાં ભારતીય સામ્યવાદી પક્ષના સાંસદ સંતોષકુમારે અન્ય 12 સભ્યોની સાથે સભા મોકુફીની દરખાસ્ત મોકલી છે. તેઓએ કહ્યું કે અમેરિકા સાથે ભારતીયોને સારા રાજદ્વારી સંબંધો છે તો શા માટે આવી પરીસ્થિતિ થવા દીધી તેનો જવાબ સરકારે આપવો જોઈએ.