Mumbai,તા.14
અત્યારે ચોમાસાની આહલાદક ઋતુ ચાલી રહી છે. આ ઋતુ આનંદદાયક તો છે જ પરંતુ સાથે-સાથે રોગકારક પણ છે. જુલાઈ થી લઈને ઓકટોમ્બર સુધી આ વરસાદી વાતાવરણમાં રોગચાળો ખૂબ જ વકરે છે. કારણ કે આ ઋતુમાં વરસાદ, ભેજ અને બફારાવાળું વાતાવરણ જોવા મળે છે, અને આ વાતાવરણ મચ્છરોની ઉત્પત્તિ માટે જવાબદાર માનવામાં આવે છે.
જેમ કોલેરા આવા વાતાવરણમાં દૂષિત પાણીથી ફેલાય છે, તેવી જ રીતે વેક્ટરબોન ડીસીઝ પણ મચ્છરનાં માધ્યમથી ફેલાઈ શકે છે. આ વાતાવરણમાં મેલેરીયા, ચિકનગુનિયા અને ડેન્ગ્યુ જેવા વેકટરબોન ડિસીઝ થવાની શક્યતા ખૂબ જ રહેલી છે. ‘વેકટર’ નો મતલબ છે,’માધ્યમ’ આ રોગો મચ્છરનાં માધ્યમથી મનુષ્ય શરીરમાં ફેલાતાં હોઈ તેમને ”વેકટરબોન ડીસીઝ” તરીકે ઓળખવામાં આવે છે.
આજે આપણે આ ત્રણેય રોગો વિશે વિસ્તૃત માહિતી મેળવવા જઈ રહ્યાં છીએ.
મેલેરીયા :- મેલેરીયા રોગ ને આયુર્વેદમાં વિષમજવર તરીકે ઓળખવામાં આવે છે.
વિષમજવરનાં ૫ પ્રકાર છે.
(૧)સન્તત :- જેમાં તાવ ૨૪ કલાક – સતત રહે છે.
(૨)સતત :- જેમાં દિવસ અને રાત્રિ દરમિયાન ૨ વાર તાવ ચડે છે.
(૩)અન્યેદ્યુષ્ક :- જેમાં ૨૪ કલાકમાં ૧ વાર તાવ ચડે છે.
(૪)તૃતીયક :- જેમાં આવવાના દિવસ થી લઈ દર ત્રીજા દિવસે તાવ ચડે છે.
(૫) ચર્તુર્થક :- જેમાંઆવવાનાં દિવસથી લઈ ચોથા દિવસે તાવ ચડે છે.
આધુનિક કે મોર્ડન સાયન્સમાં મેલેરીયા ના
(૪) પ્રકાર જોવા મળે છે :-
(1) P Vivex
(2) P. Falciferum
(3) P ઓવેલ
(4) P મેલેરી
જેમાં P Vivex અને P. Falcifeeum વધારે થતો જોવામાં આવે છે.P. Falciferum ને મગજનો તાવ પણ કહે છે. જેમાં ખુબ સાવધાની રાખવી પડે છે. ઘણીવાર દર્દીને ખેંચ આવી શકે છે, તો ઘણીવાર દર્દી કોમામાં પણ જઈ શકે છે.
– આ વિષમજવરની ખરાઈ માટે QBC ટેસ્ટ કરાવવામાં આવે છે.
મેલેરીયાના લક્ષણો :-
(૧) ઠંડી લાગે
(૨) ધુ્રજારી ચઢે
(૩) તાવ આવે
(૪) તાવ ઉતરે ત્યારે ખુબ પરસેવો વળે
(૫) તાવ આવતાં પહેલા…….
(૬) ઝાડા ઉલટી
(૭) બરોળ-Spleen અને લીવર વધે
(૮) Nausea-Vomiting થાય
(૯) માથાનો દુ:ખાવો થાય
સારવાર : –
(૧) તુલસી અને મરીનો ઉકાળો ગરમ-ગરમ પીવો જેનાથી તાવ ઉતરી જાય છે, શક્ય હોય તો તેમાં થોડો દેશી ગોળ નાખવો અને ઉકાળાને ગેસ પરથી ઉતાર્યા બાદ ૨-૩ ટીપાં લીંબુનો રસ પણ નાખી શકાય છે.
(૨) ૧ ચમચી મીઠું ગરમ પાણીમાં નાખી દિવસમાં ૩ વાર આપવું.
(૩) લસણની ૫ કળી ગાયના ઘીમાં સાંતળી તેની ઉપર સિધવ ભભરાવી દર્દીને આપવું.
(૪) ડીકામારીનું ચૂર્ણ ૧/૨ ૧/૨ ચમચી સવાર-સાંજ દર્દીને આપવું.
(૫) સુદર્શન ઘનવટી ૨-૨ ગોળી સવાર-સાંજ આપવી.
(૬) લક્ષ્મીનારાયણ રસ ૧-૨ ગોળી સવાર-સાંજ વૈદ્ય કે નિષ્ણાંતની સલાહ લઈને આપવું.
(૭) ત્રિભુવનકીર્તીરસ ૧-૧ ગોળી સવાર-સાંજ નિષ્ણાંતની સલાહ મુજબ આપવો.
(૮) વિષમજવરઘનીવટી ૧-૧ ગોળી સવાર-સાંજ આ રોગમાં આપી શકાય છે.
ચિકનગુનિયા :-
આ રોગ આમ તો વાયરસથી થાય છે. એડીસ મચ્છરનાં કરડવાથી આ રોગ મનુષ્યમાં ફેલાય છે. એડીસ મચ્છર.. પણ બપોરના સમયે વધારે કરડે છે, વળી ઘરની બહાર આ મચ્છર કરડવાની શક્યતા વધારે હોય છે, ઘણીવાર જો ઘરમાં બહુ ગંદકી હોય તો આ મચ્છર ઘરની અંદર પણ કરડી શકે છે.
– આ માટે IGM ટેસ્ટ કરવામાં આવે છે.
– આજ સુધી આ રોગની કોઈ વેક્સીન કે દવાઓ ઉપલબ્ધ નથી. તેથી આ રોગ ન થાય તે માટે વધારે સાવધાની રાખવી જોઈએ.
લક્ષણો :-
(૧) આ રોગમાં 102 F થી 104 F સુધી તાવ ચઢી શકે છે.
(૨) હાડકાં અને સાંધામાં ખૂબ દુ:ખાવો થાય છે.
(૩) ઘુંટણમાં ઘણીવાર અસહ્ય દુ:ખાવો થાય છે.
(૪) સ્નાયુઓમાં ખૂબ પીડા થાય છે.
(૫) હાથ-પગની મુવમેન્ટ કરવામાં ખૂબ તકલીફ પડે છે.
(૬) શરીરમાં અશક્તિનો અનુભવ થાય છે.
સારવાર:-
(૧) સુદર્શન ઘનવટી ૨-૨ ગોળી સવાર-સાંજ લેવાથી તાવમાં ખૂબ રાહત મળે છે.
(૨) ગળો ઘનવટી ૨-૨ ગોળી સવાર-સાંજ લેવી.
(૩) સાંધાના દુ:ખાવા માટે મહાયોગરાજ ગુગળ, વાત વિધ્વંસ રસ કે એકાંગવીર રસ વૈદ્ય કે નિષ્ણાંતની સલાહ મુજબ લેવો જોઈએ.
(૪) રાસ્નાદિ કવાથ નો ઉકાળો સવાર-સાંજ લેવામાં આવે તો દુ:ખાવા માંથી ખૂબ ઝડપથી
ડેન્ગ્યુ :-
આ ડેન્ગ્યુ તાવ એડીસ મચ્છરનાં કરડવાથી થાય છે. આનાં મચ્છર દિવસમાં કરડે છે, અને મોટાભાગે સવારે કરડે છે. ડેન્ગ્યુનાં મચ્છરના શરીર પર ચિત્તા જેવી પ્રિન્ટ હોય છે.
ડેન્ગ્યુનાં ૨ પ્રકાર જોવા મળે છે.
(૧) ક્લાસીકલ ડેન્ગ્યુ
(૨) હેમરેજીક ડેન્ગ્યુ
લક્ષણો :-
(૧) આ રોગમાં તાવ ચઢે છે.
(૨) સ્કીન પર Rashesh જોવા મળે છે.
(૩) Bodyache થાય છે.
(૪) હેમરેજીક ડેન્ગ્યુમાં પ્લેટલેટ કાઉન્ટ ઘટવા લાગે છે.
(૫) મલ્ટીપલ Organ Fail થવાની શક્યતા પણ રહે છે.
સારવાર :-
(૧) ગળો ઘનવટી ૨-૨ ગોળી સવાર-સાંજ ગરમપાણી સાથે લેવી.
(૨) પપૈયાનાં પાનનો રસ સવાર-સાંજ 10 ml ની માત્રામાં લેવો, જેથી પ્લેટલેટ કાઉન્ટમાં ફાયદો થાય છે.
(૩) મેથીનાં પાન નાખેલ હર્બલ ટી સવાર-સાંજ લેવી.
(૪) કાળી દ્રાક્ષનો જ્યુસ આ રોગમાં ફાયદો કરે છે.
(૫) દાડમનો જ્યુસ પણ આ રોગમાં ફાયદાકારક છે.
(૬) નાળિયેરનું પાણી સવાર-સાંજ લેવાથી પણ ઘણો જ ફાયદો થાય છે.