Morbi,તા. ૨૪
મોરબી જિલ્લાને ટ્રેન સેવાનો લાભ મળી રહે તે માટે મોરબીથી ઉતરાંચલ એક્સપ્રેસ ટ્રેન સેવાનો લાભ આપવા માટે માંગ કરવામાં આવી છે
મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ વડાપ્રધાનને પત્ર લખી જણાવ્યું છે કે મોરબી જીલ્લો ટાઈલ્સ સહિતના ઉદ્યોગ માટે વિશ્વમાં જાણીતો છે મોરબીની વસ્તી ઉપરાંત અન્ય રાજ્યમાંથી રોજગારી અર્થે આવેલ લાખો શ્રમિકોની સંખ્યા હોવા છતાં મોરબીને એકપણ લાંબા અંતરની ટ્રેન સેવાનો લાભ મળતો નથી જેથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારને ચારધામ યાત્રા તેમજ અન્ય મુસાફરી માટેની સુવિધા મળતી નથી મોરબીથી ઉતરાંચલ જવા માટે સપ્તાહમાં ત્રણ દિવસ ટ્રેનની સુવિધા આપવામાં આવે તો મોરબી સહીત સમગ્ર સૌરાષ્ટ્રના મુસાફરોને લાભ મળી સકે અને ચારધામની યાત્રા કરી સકે જેથી મોરબીથી ઉતરાંચલ ટ્રેન સેવાનો લાભ આપવા યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે