Morbi,તા.13
અજાણ્યા ઈસમો વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી
અણીયારી ગામની સીમમાં રહેતા પરપ્રાંતીય યુવાનને અજાણ્યા ઇસમેં તીક્ષ્ણ હથીયારના ઘા ઝીંકી ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું જે બનાવ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી છે
રાજસ્થાનના વતની કુરીબેન સંજયભાઈ મહવઈ (ઉ.વ.૩૫) વાળાએ અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના પતિ સંજય મોહન મહાવઈ સાથે ચારેક મહિના પહેલા ફોન પર વાત થઇ હતી બાદમાં પતિનો ફોન બંધ આવતો હતો તેઓ છેલ્લા એકાદ વર્ષથી ગુજરાતમાં મોરબી આજુબાજુ વિસ્તારમાં કિન્નર વેશમાં, સ્ત્રીના કપડા પહેરી ભિક્ષાવૃત્તિ કરતા હોવાની વાત પતિએ ફોન પર કરી હતી આજથી ત્રણ-ચાર દિવસ પૂર્વે જાણ થઇ હતી કે અણીયારી ગામ પાસે અજાણ્યા કિન્નર જેવા વ્યક્તિનો મૃતદેહ મળ્યો છે જેની ઓળખ થઇ નથી જેથી ભાઈ પવન હીરાલાલ ડીંડોર અને નાની બેનના પતિ મનીષ ખરાડી સાથે મોરબી તાલુકા પોલીસ મથક આવ્યા હતા જ્યાં અણીયારી ગામની સીમમાં ખેતરના શેઢા પાસેથી ગત તા. ૨૫-૦૮-૨૦૨૪ ના બપોરના સુમારે અજાણ્યા કિન્નર જેવા વ્યક્તિનો કોહવાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હોવાનું જણાવ્યું હતું
જે મૃતદેહ પર સ્ત્રીના કપડા પહેરેલ હતા અને મૃતકનો ફોટો બતાવતા મૃતદેહની ઓળખ થાય તેમ ના હતી પરંતુ મૃતદેહ પર પહેરેલ કપડા ફોટોમાં જોતા પતિ છેલ્લા એકાદ વર્ષથી સ્ત્રીના કપડા પહેરી કિન્નર બની ભિક્ષા વૃતિ કરતા હતા અને પતિ સંજયનો ફોન ચાર માસથી બંધ આવતો હતો પતિ ગુમ થયાની કે પતિને કોઈએ મારી નાખ્યાની શંકા હતી જેથી મોરબી બાજુ આવી કિન્નર જેવા માણસોને મળીને પતિ સંજયની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ચારેક માસ પૂર્વે અનીયારી ગામ પાસે રોડ પરથી બે અજાણ્યા માણસો બાઈકમાં બેસાડી લઇ ગયા હતા અને પોલીસને મળી આવેલ મૃતદેહનું પીએમ કરાવ્યું હતું જેને તીક્ષ્ણ હથિયારના ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરી હોવાનું જણાઈ આવ્યું હતું
આમ ફરિયાદીના પતિ સંજય મોહન મહવઈ (ઉમર આશરે ૩૫ થી ૪૦ વર્ષ) રહે રાજસ્થાન વાળાને અજાણ્યા માણસોએ કોઈ કારણોસર તીક્ષ્ણ હથિયારના ઘા મારી ગંભીર ઈજા કરી મોત નીપજાવી હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે