Morbi, તા.7
મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામ ધામ ખાતે સ્નેહ મિલન યોજાયું હતુ જેમા મોટી સંખ્યામાં બ્રહબંધુઓ જોડાયા હતા આ સ્નેહ મિલનમાં પરશુરામ ધામના પ્રમુખ ભૂપતભાઈ પંડ્યા, ડો અનિલભાઈ મહેતા, રવીન્દ્રભાઈ ત્રિવેદી, હસુભાઈ પંડ્યા, પ્રશાંતભાઇ મહેતા, જગદીશભાઈ ઓઝા, ડો બી.કે.લેહરું, ડો રાજુભાઈ ભટ્ટ, વિનુભાઈ ભટ્ટ, આર.કે.ભટ્ટ, બિપીનભાઇ વ્યાસ, જીગ્નેશભાઇ ભટ્ટ હિમાંશુભાઇ ભટ્ટ, મુકુંદભાઈ જોશી, નીલાબેન પંડિત કલ્પનાબેન શર્મા, નીરજ ભટ્ટ, ચિંતન ભટ્ટ તમેજ બ્રહ્મ સમાજના ભાઇઓ અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા .
આ તકે આગેવાનોએ સમાજના ઉત્થાન માટે સારી જગ્યા અને સારા હોદા ઉપર મારો નહી પણ સારો હોય તેને તક આપવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી. અને આ કાર્યક્રમમાં ભુદેવોએ સ્વચ્છતા માટેના શપથ લિધા હતા આ કાર્યક્રમને સફળ બનવા માટે સંસ્થાના પ્રમુખ ભુપતભાઇ પંડ્યાના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.