Morbi, તા.10
મોરબીના બેલા ગામના સિમ વિસ્તારમાં દેશી દારૂ, મચ્છી મટનનું વેચાણ, ખનીજ ચોર બેફામ કરવામાં આવે છે તેવી હાલમાં ગામના માજી ઉપસરપંચ દ્વારા મુખ્યમંત્રી અને રાજ્યના પોલીસ વડાને રજૂઆત કરવામાં આવેલ છે સાથે જ તેની હત્યા કરવામાં આવે કે પછી હત્યાનો પ્રયાસ કરવામા આવે તેવી આશંકા વ્યક્ત કરેલ છે.
મોરબી તાલુકાના બેલા ગામના માજી ઉપસરપંચ પ્રવિણચંદ્ર એસ. આચાર્યએ હાલમાં રાજ્યના મુખ્યમંત્રીને ખનીજ ચોરી બાબતે અને પોલીસ વડાને દારૂ અને માસના વેચાણ બાબતે જુદીજુદી બે રજૂઆત કરવામાં આવેલ છે રજૂઆતમાં જણાવ્યુ છે કે, બેલા ગામના સિમ વિસ્તારમાં દેશી દારૂ, મચ્છી મટનનું વેચાણ, ખનીજ ચોર બેફામ કરવામાં આવે છે. અને હપ્તા આપતા શખ્સો દ્વારા તેની હત્યા કે પછી જીવલેણ હુમલો કરાવવામાં આવે તેવી પણ શક્યતા છે.
તેઓના ગામના સરકારી ખરાબાની જમીનમાં દેશી દારૂ, મચ્છી મટનનો ધંધો કરવામાં આવે છે અને દારૂના વેપારીપાસેથી 20-25 હજાર તેમજ મચ્છી મટન વાળા પાસે 10-15 હજાર રૂપિયાના હપ્તાનું ઉઘરાણુ કરવામાં આવે છે. અને તેમાં બેલા ગ્રામ પંચાયત સભ્ય પણ સંડોવાયેલ છે તેવો તેને આક્ષેપ કરેલ છે.
ખાણ ખનીજ વિભાગમાં તા. 6/12/2024 નાં રોજ ખનીજ ચોરી રોકા માટે ર રજુઆત કરેલ હતી જો કે, કોઈ પગલાં લેવામાં આવેલ નથી અને ગામમા ખનીજ ચોરી, દેશી દારૂ, મચ્છી મટન જેવી પ્રવૃતિ વધી રહી છે ત્યારે હપ્તા ખોરીના લીધે દૂષણો દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે આ દુશનોને ડામવા માટે તે રજૂઆતો કરેલ છે જેથી તેની હત્યા કરવામાં આવે કે પછી હત્યાનો પ્રયાસ કરવામાં આવે તેવી શ્ક્યતા છે.
તો મુખ્યમંત્રીને જે રજૂઆતમાં જણાવ્યુ છે કે, ખાણ ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદેસર ચાલતા ખનીજ ખોદકામ ઉપર રેડ કરેલ હતી. અને ત્યારે 3 ટ્રક, એક હિટાચી મશીન કબજે કરેલ છે. આ ખનીજ ચોરીમાં ગ્રામ પંચાયતના સદસ્યના ભાઈની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું અને સરકારી ખરાબા તથા ગૌચરમાંથી કરોડો રૂપિયાની ખનીજ ચોરી કરેલ છે. અને સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકશાન પહોંચાડેલ છે.
જો આ ગામની પાસે આવેલ સરકારી ખરાબાના સ્થળ તપાસ કરીને પંચરોજ કામ કરવામાં આવે તો કરોડો રૂપિયાની ખનીજ ચોરીની માહિતી સામે આવે તેવી શ્ક્યતા છે. જો કે, તંત્ર વાહકો હવે કામ કયારે કરશે તે સવાલ છે.