Morbi,તા.૨૬
શહેરની જવાહર સોસાયટીમાં રહેતી ૪૦ વર્ષીય પરિણીતાએ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા બનાવ મામલે પોલીસે તપાસ ચલાવી છે
ભડિયાદ રોડ પર જવાહર સોસાયટીમાં રહેતા સરસ્વતીબેન નરેશભાઈ મકવાણા (ઉ.વ.૪૦) નામની પરિણીતાએ ગત તા. ૨૪ ના રોજ રાત્રીના અગિયાર વાગ્યા પૂર્વે કોઈપણ સમયે પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવને પગલે પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે સીટી બી ડીવીઝન પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે