Morbi,તા.27
શહેરમાં રહેતા ૫૯ વર્ષીય વૃદ્ધને માથામાં દુખાવો અને ઉલટી થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં વૃદ્ધનું મોત થયું હોય જે બનાવ મામલે પોલીસે તપાસ ચલાવી છે
રવાપર રોડ પર તુલસીપત્ર એ એપાર્ટમેન્ટના રહેવાસી પ્રાણજીવનભાઈ લાલજીભાઈ સરડવા (ઉ.વ.૫૯) નામના વૃદ્ધ પોતાના ઘરે હોય ત્યારે માથામાં દુખાવો અને ઉલટી થતા સારવાર માટે મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી જોકે રસ્તામાં જ મોત થયું હતું મોરબી સીટી એ ડીવીઝન પોલીસે બનાવ મામલે નોંધ કરી તપાસ ચલાવી છે