Morbi,તા.૨૮
મોરબીમાં દરબારગઢ ચોક માં, તા.૩૧/૧૦/૨૦૨૪ ગુરૂવાર થી તા.૦૩/૧૧૨૦૨૪ રવિવાર ચાર દિવસ સુધી શ્રી શ્રી સાર્વજનીક મહાકાલી પુજા કમીટી ગ્રુપ દ્વારા છેલ્લા ૧૯ વર્ષની જેમ આ વખતે ૨૦માં વર્ષે પણ કાલીપુજા મહાઉત્સવનું દિવ્ય,અદભુત અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે
તા.૩૧/૧૦/૨૦૨૪ ગુરૂવારના રોજ ડો. જયંતિભાઈ એસ. ભાડેશીયાના શુભ હસ્તે રાત્રે ૭–૧૫ થી ૮–૧૫ વાગ્યા દરમ્યાન કાલીપુજા પંડાલનું ઉદધાટન રીબીન કટ કરી અને તૈયારબાદ દિપમાલા પ્રજવલીત કરીને પુજાનો ભવ્ય શુભ આરંભ કરવામાં આવશે.