Morbi, તા.12
આ યોજના હેઠળ વ્યક્તિગત પશુપાલકો તથા પશુઓને નિભાવતી સંસ્થાઓ જેમ કે ગૌશાળા, પાંજરાપોળ તેમજ અન્ય સેવાભાવી સંસ્થાઓને નર વાછરડાને ક્લોસ મેથડ (Burdizo Castrator) અને ઓપન મેથડ (Surgical Method) થી ખસીકરણ કરાવવા બદલ પ્રતિ પશુ નર વાછરડા માટે રૂપિયા 500 ની સહાય મળવાપાત્ર રહેશે.
આ યોજનાનો લાભ લેવા ઈચ્છુક પશુપાલક મિત્રો અને પશુઓને નિભાવતી સંસ્થાઓ જેમ કે ગૌશાળા, પાંજરાપોળ તેમજ અન્ય સેવાભાવી સંસ્થાઓએ આઈ ખેડૂત પોર્ટલ https://ikhedut.gujarat.gov.in/iKhedutPublicScheme/ આ લિંક પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.આ ઘટક અંતર્ગત પુન: લાભ મેળવવા માટે ઓછામાં ઓછી 01 વર્ષની સમય મર્યાદા છે. એટલે કે એક વખત અરજી કર્યા બાદ 01 વર્ષ બાદ ફરીથી અરજી કરી શકાય છે. હાલમાં આ યોજના અંતર્ગત ઓનલાઈન અરજી સ્વીકારવાનું ચાલુ છે. તેથી આગામી તારીખ 15/11/2024 સુધીમાં ઓનલાઈન અરજી તાત્કાલિક ધોરણે કરવાની રહે છે.
આ અંગે વધુ માહિતી મેળવવા માટે નાયબ પશુપાલન નિયામકશ્રીની કચેરી, પશુપાલન શાખા, જિલ્લા પંચાયત ભવન, મોરબી ખાતે રૂબરૂ સંપર્ક સાધી શકાશે.