Morbi તા.૧૦
બંધુનગર ગામની સીમમાં ઓટો રીક્ષામાં મુસાફર બેસાડવાના વાર બાબતે બોલાચાલી કરી બે ઇસમોએ રીક્ષા ચાલકને માર મારી ગાળો આપી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે
મોરબીના મચ્છોનગર (રફાળેશ્વર) ગામે રહેતા ભીખાભાઈ નાજાભાઈ ચૌહાણે આરોપીઓ કાળુભાઈ પરબતભાઈ ભરવાડ અને ભુરાભાઈ પરબતભાઈ ભરવાડ રહે બંને પલાસ તા. વાંકાનેર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી પેસેન્જર ઓટો રીક્ષા ચલાવતા હોવાથી સરતાનપર હાઈવે ચોકડી પાસે પેસેન્જર પોતાની રીક્ષામાં બેસાડતા હતા ત્યારે વાર બાબતે આરોપીઓએ અમે ક્યારના પેસેન્જરના વારામાં રીક્ષાયું લઈને બેઠા છી તમે આડેથી પેસેન્જર ભરી રહ્યા છો કહીને માથાકૂટ કરી હતી બંને આરોપીઓ ઉશ્કેરાઈ જઈને ગાળો આપી જાતી પ્રત્યે જાહેરમાં જેમ ફાવે તેમ બોલી જાતી પ્રત્યે હડધૂત કરી ઝઘડો કરી ઢીકાનો માર મારી ઈજા કરી હતી અને હાથમાં પહેરેલ ધાતુના કડાનો હથિયાર તરીકે ઉપયોગ કરી માથામાં મારી માથું ફોડી નાખી ઈજા કરી હતી મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે