Morbi,તા.10
મોરબીને રેલવે ટ્રેનની વધુ સુવિધા આપવામાં આવે તેના માટે રજૂઆતો કરવામાં આવી છે પૂર્વ કાઉન્સિલર સુરેશભાઈ પી. શિરોહિયાએ કચ્છ- મોરબી સાંસદ સભ્ય વિનોદભાઈ ચાવડાને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે. જેમાં તેમણે જણાવ્યુ છે કે, મોરબી જિલ્લો બની ગયો તેને વર્ષો થઈ ગયેલ છે તો પણ મોરબી જિલ્લાને લાંબા અંતરની ગાંધીધામ મોરબી, કામ્ખીયા ભુજ, મોરબી બાંદ્રા વિકલી સિવાય કોઈ જ ટ્રેન આપવામાં આવી નથી.
મોરબીને ભુજ ગાંધીધામ મોરબી હરિદ્વાર સુધી ટ્રેન આપવામાં આવે તેવી માંગ કરી છે. તેમજ ડેઇલી ભુજ, મોરબી, અમદાવાદ જે હાલમાં વંદે ભારત ટ્રેન 6 દિવસ ચાલે છે તેને 3 દિવસ મોરબીથી ચલાવવામાં આવે અને મોરબી-રાજકોટ ડેઇલી ટ્રેન આપવામાં આવે તેવી અને ગાંધીધામ, મોરબી, કામ્ખીયાના ફેરા વધારી સપ્તાહમાં ત્રણ દિવસ કરવામાં આવે તેવી માંગ કરેલ છે.