Morbi, તા.29
અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ (યુવા પાંખ) દ્વારા નુતન વર્ષને આવકારવા અને નવા વર્ષની શુભેચ્છા પાઠવવા માટે સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ મોરબી દ્વારા મોરબી શહેર તથા જિલ્લામાં વસતા રાજપૂત ક્ષત્રિય સમાજના પરિવાર માટે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન તા 2/11 ના રોજ સાંજે 4:30 થી 6:15 કલાકે કરવામાં આવ્યું છે અને મોરબી જિલ્લા સેવા સદન પાછળ ચક્કર રોડ ઉપર આવેલ રેમન પાર્ટી પ્લોટ ખાતે આ સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવામા આવેલ છે.
જેમાં સમાજના લોકોને પરિવાર સાથે આવવા માટે આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જયવંતસિંહ એચ. જાડેજા, જયશ્રીબા એમ. ઝાલા, ઓમદેવસિંહ જાડેજા, રાજવીરસિંહ પી. સરવૈયા તેમજ ધર્મદીપસિંહ એમ. જાડેજા તેમજ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ, અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘ અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ (યુવા પાંખ)ના હોદેદારો અને કાર્યકર્તા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.