Morbi તા.૨૨
મોરબી શહેરના શોભેશ્વર રોડ અને નવલખી બાયપાસ એમ બે સ્થળે આપઘાતના બનાવ પ્રકાશમાં આવ્યા છે જયારે વાંકાનેર પંથકમાં અગમ્ય કારણોસર આધેડનું મોત થયું હતું
આપઘાતના પ્રથમ બનાવમાં મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ શોભેશ્વર રોડ પર આવેલ હોમ ડેકોર સેનેટરી કોમ્પ્લેક્ષના લેબર ક્વાર્ટરમાં રહીને મજુરી કરતા પ્રશાંતકુમાર રતનલાલ યાદવ (ઉ.વ.૨૭) નામના યુવાને કારખાનાની ઓરડીમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો જયારે બીજા બનાવમાં મોરબી તાલુકાના ખેવારીયા ગામના રહેવાસી હિમાંશુભાઈ વસંતભાઈ રાજપરા (ઉ.વ.૨૪) નામના યુવાને કોઈ કારણોસર પવિત્ર હોટલ નવલખી બાયપાસ ખાતે પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો બનાવની જાણ થતા સીટી બી ડીવીઝન પોલીસ ટીમ દોડી ગઈ હતી અને આપઘાતના બનાવની વધુ તપાસ હાથ ધરી છે
જયારે વાંકાનેર પંથકમાં મૂળ પશ્ચિમ બંગાળના વતની અને હાલ વઘાસીયા ગામની સીમમાં કયુંટોન સિરામિકની ઓરડીમાં રહીને કામ કરતા જયંત યુધિષ્ઠરરાય (ઉ.વ.૪૧) નામના આધેડનું લેબર કોલોનીમાં પોતાના રૂમમાં કોઈ કારણોસર મોત થયું હતું બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી વધુ તપાસ ચલાવી છે