Morbi,તા.11
માર્કેટિંગ યાર્ડના ખૂણા પાસે નાસ્તાની લારી હોય અને ગેરેજનું ગંદુ પાણી આવતું હોવાથી સમજાવવા જતા ત્રણ ઇસમોએ યુવાનને માર મારી લોખંડ પાઈપ વડે માથામાં ઈજા કરી હતી
મોરબીના આનંદનગરમાં રહેતા હેમરાજભાઈ દિલીપભાઈ સરવૈયા (ઉ.વ.૩૦) વાળાએ આરોપીઓ રમેશ વીરજી પરમાર, મનસુખ વીરજી પરમાર અને દયારામ વીરજી પરમાર રહે બધા મોરબી વાળા વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે કે ફરિયાદીની નાસ્તાની લારી શનાળા રોડ પર માર્કેટિંગ યાર્ડના ખૂણા પાસે રહેતી હોય અને આરોપીઓ રમેશ અને મનસુખનું ગેરેજ આગળ આવેલ ગટરનું ઢાંકણું તોડતા હોય જેથી તેમાં નીકળતું ગંદુ પાણીની દુર્ગંધ આવતી હતી જેથી આરોપીઓને સમજાવવા જતા ગાળો આપી ઢીકા પાટું માર મારી લોખંડ પાઈપ વડે ફરિયાદી હેમરાજને ઈજા કરી હતી મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે