Morbi,તા,૨૫
માળિયાના નીરૂબેનનગર ગામના પાટિયા પાસે યુવાન ચાલીને રોડની સાઈડમાં જતા હોય ત્યારે અજાણ્યા ટ્રક ચાલકે ઠોકર મારતા ગંભીર ઈજા પહોંચતા યુવાનનું મોત થયું હતું અને અકસ્માત બાદ પોતાનો ટ્રક લઈને ચાલક નાસી ગયો હતો
મોરબીના પીપળીયા ગામે રહેતા પુજાબેન વસંતભાઈ દેલવાણીયા (ઉ.વ.૩૫) વાળાએ અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના પતિ વસંતભાઈ કાનાભાઈ દેલવાણીયા માળિયાના નીરૂબેનનગર ગામના પાટિયા પાસેથી રોડની સાઈડમાં ચાલીને જતા હોય ત્યારે અજાણ્યા ટ્રક ચાલકે પોતાનો ટ્રક પુરઝડપે ચલાવી ફરિયાદીના પતિ વસંતભાઈને ઠોકર મારી હતી જે અકસ્માતમાં વસંતભાઈને છાતીના ભાગે અને પગમાં ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું અકસ્માત સર્જી અજાણ્યો ટ્રક ચાલક પોતાનો ટ્રક લઈને નાસી ગયો હતો માળિયા પોલીસે ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે