Morbi,તા,૨૫
રફાળેશ્વર રેલ્વે સ્ટેશન પાસે રેલ્વે ટ્રેક પર ટ્રેનની ઠોકરે ચડી જતા ૫૩ વર્ષના આધેડનું મોત થયું હતું જે બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
શહેરના રવાપર રોડ પર જૂની શાક માર્કેટ પાછળ રહેતા જગદીશભાઈ નાનજીભાઈ હિરાણી (ઉ.વ.૫૩) નામના આધેડ તા. ૨૪ ના રોજ રાત્રીના સમયે રફાળેશ્વર રેલ્વે સ્ટેશન પાસે રેલ્વે ટ્રેક પર ટ્રેન સાથે અકસ્માત થતા મોત થયું હતું બનાવને પગલે મૃતદેહ પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડાયો છે મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે