Morbi,તા.૭
મોરબી શહેર- તાલુકા અને વાંકાનેર પંથકમાં આપઘાત અને અપમૃત્યુના ત્રણ બનાવોમાં ત્રણ વ્યક્તિના મોત થયા છે જે બનાવો મામલે પોલીસે તપાસ ચલાવી છે
પ્રથમ બનાવમાં મોરબીના પાડા પુલ નીચે રહેતા ચકુભાઈ નરશીભાઈ વાઘેલા (ઉ.વ.૪૫) નામના આધેડ તા. ૦૬ ના રોજ કોઈ કારણોસર મચ્છુ નદીના પાણીમાં ડૂબી જતા મોત થયું હતું બનાવની જાણ થતા બી ડીવીઝન પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો અને અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
બીજા બનાવમાં બેલા ગામની સીમમાં આવેલ લેનકોસા સિરામિકના લેબર ક્વાર્ટરમાં રહીને મજુરી કરતા હરીકુમાર મોહનપ્રસાદ (ઉ.વ.૨૬) નામના યુવાન ગેલા ગામની સીમમાં લેનકોસા સિરામિક લેબર ક્વાર્ટરથી કારખાના વચ્ચે જતો હોય ત્યારે રસ્તામાં કોઈ કારણોસર પડી જતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ ચલાવી છે
ત્રીજા બનાવમાં મૂળ ઝારખંડના વતની અને હાલ વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં રે-સેરા ક્રિએશન કારખાનામાં રહીને મજુરી કરતા ચરણ બોટા બારી (ઉ.વ.૨૨) નામના યુવાને લેબર કોલોનીમાં પંખામાં કપડું બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવની જાણ થતા વાંકાનેર તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે