Morbi,તા.12
રાણેકપર ફાટક નજીક રેલ્વે ટ્રેક પર પડતું મૂકી અજાણ્યા યુવાને આપઘાત કરી લીધો હતો જે બનાવ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
વાંકાનેર રેલ્વે સ્ટેશન માસ્તર દીપકકુમાર ઓમપ્રકાશભાઈએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં જાણ કરી હતી કે તા. ૧૧ ના રોજ રાણેકપર ફાટક ૯/૧૦ બોર્ડ પાસે અજાણ્યા આશરે ૨૫ થી ૩૦ વર્ષના યુવાને કોઈ કારણોસર રેલ્વે ટ્રેક પર આત્મહત્યા કરી હતી વાંકાનેર સીટી પોલીસે આપઘાતના બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે તેમજ મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે