Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    તંત્રી લેખ…પોલીસ આધુનિકીકરણને ઝડપી બનાવવું જોઈએ

    September 20, 2025

    Surat: નકલી માર્કશીટ બનાવવાના કૌભાંડમાં દોઢ વર્ષ બાદ બે આરોપીની ધરપકડ

    September 20, 2025

    Vadodara Municipal Corporation દ્વારા ૩૦ સપ્ટેમ્બર સુધીમાં વ્યવસાય વેરો ભરી દેવા તાકીદ

    September 20, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • તંત્રી લેખ…પોલીસ આધુનિકીકરણને ઝડપી બનાવવું જોઈએ
    • Surat: નકલી માર્કશીટ બનાવવાના કૌભાંડમાં દોઢ વર્ષ બાદ બે આરોપીની ધરપકડ
    • Vadodara Municipal Corporation દ્વારા ૩૦ સપ્ટેમ્બર સુધીમાં વ્યવસાય વેરો ભરી દેવા તાકીદ
    • Vadodara માં દુષ્કર્મ પીડિત સગીરાએ બાળકને જન્મ આપ્યો
    • Mumbai માં એપલ સ્ટોર બહાર લાઈનમાં ગ્રાહકોમાં મારામારી
    • RSSના નેતાઓ અને શંકરાચાર્યો સાથે યાસીન મલિકે કરી હતી મુલાકાત
    • ૧૨૭ ખાતા બંધ કરી ગ્રાહકોના ૧૬ કરોડ રૂપિયા ચાઉં કરી ગયો બેન્કનો કર્મચારી
    • મુખ્યમંત્રીના ચહેરા વિના ચૂંટણી નહીં લડીએ : Tejashwi Yadav
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, September 20
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Myanmar-Thailand માં ભૂકંપથી 10000થી વધુ મોતની આશંકા
    આંતરરાષ્ટ્રીય

    Myanmar-Thailand માં ભૂકંપથી 10000થી વધુ મોતની આશંકા

    Vikram RavalBy Vikram RavalMarch 29, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Bangkok,તા.29

    ગઈકાલે મ્યાનમાર તથા થાઈલેન્ડમાં આવેલા વિનાશક ભૂકંપમાં એક તરફ સતત ચાલુ રહેલા આફટર શોકથી બન્ને દેશોના લોકો હજું થરથરી રહ્યા છે અને તબાહીના સાચા દ્રશ્યો ધીમે ધીમે બહાર આવતા જાય છે તે સમયે થાઈલેન્ડમાં ભૂકંપના કારણે જાનહાની મોટી હોવાનો ભય છે.

    બહુમાળી ઈમારતો ધરાવતા આ નાનકડા દેશમાં સેંકડો ઈમારતો ધસી પડી છે અને તેના કાટમાળમાં સેંકડો લોકો દબાણ છે અને અમેરિકી ભૂવૈજ્ઞાનિક સર્વેના અનુમાન મુજબ થાઈલેન્ડમાં 1000થી વધુ લોકોના મોત થયા હોવાનો ભય છે.

    બીજી તરફ મ્યાનમારમાં સરકારે સતાવાર રીતે 694 લોકો આ ભૂકંપના કારણે માર્યા ગયા હોય તેવું જાહેર કર્યુ છે. જો કે અમેરિકી એજન્સીના દાવા મુજબ 10000થી વધુ લોકોના મોત થયા છે અને સેંકડો લોકો ઘાયલ છે. મ્યાનમાર અને થાઈલેન્ડ ઉપરાંત ભારત સહિત પાંચ દેશોમાં આ ભૂકંપની અસર હતી પરંતુ નુકસાન ફકત આ બન્ને દેશોમાં જ થયુ છે.

    મ્યાનમારમાં જયાં એપી સેન્ટર હતું તેની નજીકના અને આ દેશના બીજા નંબરના સૌથી મોટા શહેર મોડાલયમાં પણ મોટી જાનહાની હોવાનો ભય અમેરિકી એજન્સીએ મુકયા છે અને આ ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે 900 કિલોમીટર દુર થાઈલેન્ડમાં પણ તે વિનાશ તથા મોટી જાનહાની સર્જી ગયો છે. થાઈલેન્ડ તથા મ્યાનમાર બન્ને દેશોમાં કટોકટી જાહેર કરાઈ છે.

    મ્યાનમારની મદદે પહોચનાર ભારત પ્રથમ દેશ બની ગયો છે અને ટનબંધ રાહત સામગ્રી પહોંચાડી દેવાઈ છે તો અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ મદદની જાહેરાત કરી છે. આંતરયુદ્ધમાં ફસાયેલા મ્યાનમારમાં વિજળી પુરવઠો પણ દેશના મોટા ભાગમાં ખોરવાઈ ગયા છે. મ્યાનમારના લશ્કરી શાસક ઝીન આંગ હલાઈંગે દુનિયાભરને મદદે આવવા અપીલ કરી છે.

    ચીન તથા રશિયાએ પણ મદદનો હાથ લંબાવ્યો છે. થાઈલેન્ડની રાજધાની બેંગકોકને ‘ડિઝાસ્ટર એરિયા’ જાહેર કરવામાં આવ્યું છે. અહી 7.7ની તિવ્રતાના આંચકા બાદ પણ આફટર શોક ચાલુ જ રહ્યા હતા અને તે 6.4ની તિવ્રતા સુધીના નોંધાયા છે. બેંગકોકમાં 33 માળની એક ઈમારત જે બંધાઈ રહી હતી તે ભૂકંપમાં ધરાશાયી થતા ફકત સાત મજુરોને બચાવી શકાયા હતા અને હજુ કાટમાળમાં અનેક દબાયા હોવાની આશંકા છે.

    ગ્લોબલ બ્લુલાઈટ ઓફ મ્યાનમારના જણાવ્યા મુજબ દેશના પાંચ મોટા શહેરોમાં તબાહી છે. અહી બોદ્ધ મઠ- પેગોડાને મોટું નુકશાન થયું છે. થાઈલેન્ડમાં હજારો વિદેશી ટુરીસ્ટ ફસાયા છે અને હવે તેમને સ્વદેશ પરત મોકલવા એ સૌથી મોટી સમસ્યા છે.

    બેંગકોક એરપોર્ટ ધીમે ધીમે શરૂ થયુ છે પણ આંતરરાષ્ટ્રીય ફલાઈટને હજુ લીલીઝંડી અપાઈ નથી. મ્યાનમારથી લોકો ભારતમાં ઘુસે નહી તેની પણ ખાસ ચિંતા કરવામાં આવી રહી છે.કાબુલ: ભારતના પાડોશી મ્યાનમાર ઉપરાંત થાઈલેન્ડમાં વિનાશક ભૂકંપના કલાકોમાંજ અફઘાનીસ્તાનમાં પણ 4.7ની તિવ્રતાનો આંચકો નોંધાયો હતો. જો કે અગાઉ પણ અનેક વિનાશક ભૂકંપનો ભોગ બની રહેનાર આ દેશમાં કોઈ જાનહાનીના રિપોર્ટ નથી.

    આજે સવારે 5.16 કલાકે અફઘાનના અનેક પહાડી ક્ષેત્રમાં 4.7ની તિવ્રતાનો આંચકો નોંધાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો જેનું ભૂમિબિન્દુ કાટમાળથી 180 કિ.મી. દુર હોવાનું નોંધાયુ છે.

    મ્યાનમારમાં આવેલા ભૂકંપમાં ભારત સૌથી પ્રથમ મદદે પહોંચી ગયુ છે અને ભારતીય હવાઈદળનું ટ્રાન્સપોર્ટ વિમાન 15 ટન રાહત સામગ્રી સાથે પહોંચી ગયુ છે જેમાં તંબુ, સ્વીપીંગ પેગ, ધાબળા તૈયાર ખોરાક, પાણી સ્વચ્છ કરવાના સાધનો, સફાઈ સામગ્રી, જનરેટર સેટ સૌર લેમ્પ, આવશ્યક દવાઓ, કપડા વિ.નો સમાવેશ થાય છે અને હજુ વધુ મદદ મોકલવામાં આવી રહી છે.

    000 dead Earthquake More than 10 Myanmar Thailand
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Mumbai માં એપલ સ્ટોર બહાર લાઈનમાં ગ્રાહકોમાં મારામારી

    September 20, 2025
    આંતરરાષ્ટ્રીય

    ટ્રમ્પના વીઝા બોમ્બથી METAઅને Microsoft માં ખળભળાટ

    September 20, 2025
    આંતરરાષ્ટ્રીય

    Russian ના હુમલાથી યુક્રેન ધણધણવા લાગ્યું : પોલેન્ડે ફાઈટર જેટ ઉડાડ્યા

    September 20, 2025
    રાષ્ટ્રીય

    ભારત સાથેના સંબંધોમાં નવી શરૂઆત કરવા તૈયાર Canada

    September 20, 2025
    રાષ્ટ્રીય

    સામાન્ય લોકોને પોસાય તે પ્રકારે રખાશે Bullet Train નું ભાડું

    September 20, 2025
    ગુજરાત

    વડાપ્રધાન મોદીએ ધોલેરા SIRનું હવાઈ નિરીક્ષણ કર્યું

    September 20, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    તંત્રી લેખ…પોલીસ આધુનિકીકરણને ઝડપી બનાવવું જોઈએ

    September 20, 2025

    Surat: નકલી માર્કશીટ બનાવવાના કૌભાંડમાં દોઢ વર્ષ બાદ બે આરોપીની ધરપકડ

    September 20, 2025

    Vadodara Municipal Corporation દ્વારા ૩૦ સપ્ટેમ્બર સુધીમાં વ્યવસાય વેરો ભરી દેવા તાકીદ

    September 20, 2025

    Vadodara માં દુષ્કર્મ પીડિત સગીરાએ બાળકને જન્મ આપ્યો

    September 20, 2025

    Mumbai માં એપલ સ્ટોર બહાર લાઈનમાં ગ્રાહકોમાં મારામારી

    September 20, 2025

    RSSના નેતાઓ અને શંકરાચાર્યો સાથે યાસીન મલિકે કરી હતી મુલાકાત

    September 20, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    તંત્રી લેખ…પોલીસ આધુનિકીકરણને ઝડપી બનાવવું જોઈએ

    September 20, 2025

    Surat: નકલી માર્કશીટ બનાવવાના કૌભાંડમાં દોઢ વર્ષ બાદ બે આરોપીની ધરપકડ

    September 20, 2025

    Vadodara Municipal Corporation દ્વારા ૩૦ સપ્ટેમ્બર સુધીમાં વ્યવસાય વેરો ભરી દેવા તાકીદ

    September 20, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.