રાજ્ય સરકારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત
Ahmedabad,તા.૧૨
આજનો દિવસ અમદાવાદના ઈતિહાસમાં કાળા દિવસ તરીકે નોંધાશે. અમદાવાદમાં વિમાન દુર્ઘટનાની સૌથી મોટી ઘટના બની છે. આજે બપોરે ૧.૧૭ કલાકે એર ઈન્ડિયાની વિમાન જતી ફ્લાઇટે ટેકઓફ કર્યું હતું. પરંતુ ગણતરીની મિનિટો બાદ આ પ્લાઇટ ક્રેશ થઈ હતી. આ વિમાનમાં કુલ ૨૪૨ મુસાફરો અને ક્રૂ સભ્યો સવાર હતા. વિમાન દુર્ઘટના બાદ તત્કાલ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
રાજ્ય સરકારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે. આ કંટ્રોલ રૂમના ફોન નં. ૦૭૯-૨૩૨-૫૧૯૦૦ અને મોબાઈલ નં. ૯૯૭૮૪૦૫૩૦૪ ઉપર સંબંધિતો સંપર્ક કરી શકશે.
એર ઇન્ડિયાએ પુષ્ટિ આપી છે કે અમદાવાદથી લંડન ગેટવિક જતી ફ્લાઇટ છૈં૧૭૧ આજે ટેકઓફ પછી અકસ્માતનો ભોગ બની હતી. અમદાવાદથી બપોરે ૧૩.૩૮ વાગ્યે ઉપડેલી આ ફ્લાઇટમાં ૨૪૨ મુસાફરો અને ક્રૂ સભ્યો હતા. આમાંથી ૧૬૯ ભારતીય નાગરિકો, ૫૩ બ્રિટિશ નાગરિકો, ૧ કેનેડિયન નાગરિક અને ૭ પોર્ટુગીઝ નાગરિકો છે. વધુ માહિતી પૂરી પાડવા માટે અમે ૧૮૦૦ ૫૬૯૧ ૪૪૪ પર એક સમર્પિત પેસેન્જર હોટલાઇન નંબર પણ સ્થાપિત કર્યો છે.